'સારાભાઈ Vs સારાભાઈ' સિરિયલમાં અભિનય કરનાર અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું રોડ અકસ્માતમાં થયું નિધન! મુંબઈમાં થશે અંતિમ સંસ્કાર!


  • Published By :
  • Published Date : 2023-05-24 08:54:47

અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અકસ્માતને કારણે અનેક પરિવારે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. અનેક વખત અકસ્માતમાં લોકો એટલા ગંભીર રીતે ઘાયલ થઈ જતા હોય છે કે તે જીવનભર ચાલી પણ નથી શકતા. ત્યારે લોકપ્રિય શો સારાભાઈ વર્સીસ સારાભાઈમાં જાસ્મિનની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. હિમાચલ પ્રદેશમાં આ દુર્ઘટના સર્જાઈ હતી અને મળતી માહિતી અનુસાર મુંબઈ ખાતે અભિનેત્રીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Vaibhavi Upadhyay Hot Legs : r/HotIndianActresses

ગાડી પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત!

રોડ અકસ્માતોમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અનેક પરિવાર વિખેરાઈ ગયા છે. અકસ્માતમાં અનેક વખત બીજાના ભૂલની સજા કોઈ બીજાને ભોગવવી પડતી હોય છે. ઝડપની મજા કોઈને માટે મોતની સજા પણ બનતી હોય છે. ત્યારે ટીવી ઈન્ડસ્ટ્રીથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. ટીવી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું મોત રોડ એક્સિડન્ટમાં થયું છે. સારાભાઈ વર્સીસ સારાભાઈમાં જાસ્મીનનું પાત્ર નિભાવનાર અભિનેત્રીનું નિધન રોડ અકસ્માતમાં થયું છે. હિમાચલ પ્રદેશમાં આ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર પોતાના મંગેતર સાથે અભિનેત્રી કારમાં મુસાફરી કરી રહી હતી. તે દરમિયાન એક તીવ્ર વળાંક પર ગાડી પરથી કાબુ હટતા ગાડી નિયંત્રણની બહાર જતી રહી હતી. અભિનેત્રીના મંગેતરની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.


રૂપાલી ગાંગુલીએ શોક કર્યો વ્યક્ત! 

અભિનેત્રીના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. અભિનેત્રીના નિધનની પુષ્ટિ અભિનેતા-નિર્માતા જેડી મજેઠિયાએ કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લખ્યું કે જીવન ખૂબ જ અણધાર્યું છે. એક ખૂબ જ સારી અભિનેત્રી, પ્રિય મિત્ર વૈભવી ઉપાધ્યાય, જે સારાભાઈ Vs સારાભાઈની જાસ્મિન તરીકે જાણીતી છે તેનું અવસાન થયું. તેનો ઉત્તર ભારતમાં અકસ્માત થયો છે. વૈભવીની આત્માને શાંતિ મળે. તે સિવાય રુપાલી ગાંગુલીએ પણ વૈભવીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રૂપાલી ગાંગુલી અને વૈભવી ઉપાધ્યાયે સારાભાઈ વર્સીસ સારાભાઈમાં સ્ક્રીન શેર કરી હતી.              



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે