રાજકારણમાં આવવા અભિનેત્રી કંગના રનૌત તૈયાર.... ચૂંટણી લડવાની દર્શાવી તૈયારી


  • Published By :
  • Published Date : 2022-10-30 10:24:03

બોલિવુડમાં પોતાની કિસ્મત અજમાવ્યા બાદ અનેક અભિનેતા-અભિનેત્રીઓ રાજકારણમાં આવતા હોય છે. લોકચાહનાને કારણે અનેક વખત તેઓ જીત પણ હાંસલ કરે છે. ત્યારે પોતાના નિવેદનને કારણે હમેંશા ચર્ચામાં રહેતી અભિનેત્રી કંગના રનૌતે રાજકારણમાં આવવાની ઈચ્છા દર્શાવી છે. જો ભાજપ કંગનાને ચૂંટણી લડવાનો મોકો આપે તો તે હિમાચલ પ્રદેશના મંડીથી તે ચૂંટણી લડવાનું પસંદ કરશે. 

Kangana Ranaut pairs her ₹600 saree with Dior bag | Bollywood - Hindustan  Times

જો ભાજપ ટિકિટ આપશે તો હિમાચલમાં લડશે ચૂંટણીમાં 

એક્ટ્રેસ હોવા છતાં કંગના રાજકારણમાં ઉંડો રસ ધરાવે છે. રાજકીય મુદ્દો હોય કે સામાજીક મુદ્દો હોય પોતાની વાતને એકદમ ક્લિયર રાખવાને કારણે અનેક વખત વિવાદોમાં ઘેરાઈ જતી હોય છે. કંગનાએ રાજકારણમાં એન્ટ્રી કરવાની પૂરેપૂરી તૈયારી દર્શાવી છે. હિમાચલ પ્રદેશમાં આયોજીત એક કાર્યક્રમમાં કંગનાએ ભાગ લીધો હતો જેમાં તેણે કહ્યું કે તે હિમાચલમાં ચૂંટણી લડવા માગે છે. જો જનતા ઈચ્છે અને ભાજપ ટિકિટ આપે તો તે ચૂંટણી લડવા તૈયાર છે. 

Kangana Ranaut says she predicted 'doom of ex-Twitter heads' | Bollywood -  Hindustan Times

રાજકીય પરિવારમાંથી આવે છે કંગના 

કંગનાએ કહ્યું કે જો સરકાર રાજનીતિમાં મારી ભાગીદારી ઈચ્છે તો હું સંપૂર્ણ રીતે તૈયાર છું. હિમાચલ પ્રદેશના લોકોની સેવા કરવાની તક આપવીએ મારા માટે સૌભાગ્યની વાત છે. કંગનાના પિતા પણ રાજકારણમાં હતા. વડાપ્રધાનથી પ્રભાવિત થઈ કંગનાના પિતાએ કોંગ્રેસને છોડી ભાજપનો સાથ પકડી લીધો હતો. ત્યારે જોવાનું એ રહ્યું કે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રીને ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતારશે?



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.