એક્ટર સમીર ખખ્ખરે લીધા અંતિમ શ્વાસ, બિમારીથી પીડાઈ રહ્યા હતા અભિનેતા


  • Published By :
  • Published Date : 2023-03-15 15:28:35

થોડા સમય પહેલા સતીષ કૌશિકના નિધનના સમાચાર સામે આવ્યા હતા. તે બાદ આજે ફરી એક ખરાબ સમાચાર બોલિવૂડથી સામે આવી રહ્યા છે. બોલિવૂડ અભિનેતા સમીર ખખ્ખરનું નિધન થઈ ગયું છે. શ્વાસ લેવાની તકલીફ અને અન્ય બીમારીઓને કારણે તેમનું નિધન થયું છે. શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.  

 

અનેક ફિલ્મોમાં કર્યો હતો અભિનય

આજે ફરી એક વખત બોલિવુડ અભિનેતા, ખ્યાતનામ કલાકાર, ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ કલાકાર સમીર ખખ્ખરનું અવસાન થઈ ગયું છે. શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને ગઈ કાલે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેમનું નિધન થઈ ગયું હતું. તેમણે અનેક ફિલ્મોમાં જેવી કે પુષ્પક, શહેનશાહ, રખવાલા, દિલવાલે જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. 1996માં ભારત છોડી તેઓ અમેરિકા રહેવા જતા રહ્યા હતા. ફર્ઝીમાં તેઓ દેખાયા હતા. 

નુક્કડ સિરિયલથી મળી લોકપ્રિયતા 

દુરદર્શન પર આવતી સિરિયલ નુક્કડથી તેમણે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ સિરિયલમાં તેમણે ખોપડીનો રોલ નિભાવ્યો હતો જે બાદ લોકો તેમને ઓળખવા લાગ્યા હતા. તે ઉપરાંત શ્રીમાન શ્રીમતી સિરિયલમાં તેમણે ફિલ્મ નિર્દેશક ટોટોની ભૂમિકા પણ ભજવી હતી. તે સિવાય સંજીવની સિરિયલમાં પણ તેમણે અભિનય કર્યો હતો. તે સિવાય થોડા વર્ષો પહેલા આવેલી 'હસી તો ફસી', 'જય હો', ફિલ્મોમાં અભિનય કર્યો હતો.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે