અભિનેતા અને ડાયરેક્ટર સતીશ કૌશિકે લીધા અંતિમ શ્વાસ, બોલિવૂડમાં છવાઈ શોકની લાગણી


  • Published By :
  • Published Date : 2023-03-09 09:08:35

66 વર્ષે મશહુર અભિનેતા અને ડાયરેક્ટર સતીશ કૌશિકે અંતિમ શ્વાસ લીધા છે. સતીશ કૌશિકના નિધનના સમાચાર અનુપમ ખેરે આપ્યા છે. અભિનેતા અનુપમ ખેર સતીશ કૌશિકના નજીકના મિત્ર માનવામાં આવે છે. ખેરે ટ્વિટ કરતા લખ્યું કે હું જાણું છું કે મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે. પણ મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે હું જીવતો રહીને મારા ખાસ મિત્ર કૌશિક વિશે આ લખીશ. 45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ. Life will never be the same without you SATISH!

Satish Kaushik, Actor And Director Dies At 66, Anupam Kher Says Life Will  Never Be The Same

આ રીતે બોલિવૂડમાં સતીશ કૌશિકે કરી એન્ટ્રી      

સતીશ કૌશિકનો જન્મ 13 એપ્રિલ 1956માં થયો હતો. હરિયાણાના મહેન્દ્રગઢમાં તેમનો જન્મ થયો હતો જ્યારે તેમણે દિલ્હી ખાતે અભ્યાસ કર્યો, ગ્રેજ્યુએશન તેમણે કિરોડીમલ કોલેજમાં કર્યું અને તે બાદ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું. વર્ષ 1983માં તેમણે બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં કદમ મૂક્યો હતો, મિસ્ટર ઈન્ડિયામાં રોલ કર્યા બાદ તેમને લોકો ઓળખવા લાગ્યા. તે બાદ દિવાના મસ્તાના ફિલ્મમાં રોલ મળ્યો. તેઓ અભિનેતા, કોમેડિયન, સ્ક્રિપ્ટ રાઈટર, નિર્દેશક તેમજ નિર્માતા હતા. તેમની આમ અચાનક વિદાય લેવાથી ફિલ્મ જગતમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. બપોરના સમયે મુબંઈ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 



 હોળી પાર્ટીમાં લીધો હતો ભાગ    

મહત્વનું છે કે 7 માર્ચે જાવેદ અખ્તરે હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં તેઓ ફિટ દેખાતા હતા. સોશિયલ મીડિયા પર સેલિબ્રેશનનાં ફોટો શેર કર્યા હતા જેમાં તેમણે લખ્યું કે જાવેદ અખ્તર, શબાના આજમી, બાબા આજમી, તન્વી આજમી તરફથી આયોજીત હોળી પાર્ટીમાં રંગબેરંગી ખુશનુમા હોળીની મજા માણી. સતીશ કૌશિકના નિધન પર કંગના રનૌતે દુ:ખ વ્યક્ત કર્યું છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે