હાઈકોર્ટની ટકોર બાદ પણ નબળી કામગીરીને કારણે અધિકારી વિરૂદ્ધ લેવાયા પગલા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 14:31:51

રસ્તા પર રખડતા ઢોર ગુજરાતમાં મોટો પ્રશ્ન બની ગયો છે. પશુને કારણે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે તો અનેક વાહન ચાલકોને પણ ઢોર કારણે મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રસ્તા પર જ્યાં જુઓ ત્યાં રખડતા પશુઓ જોવા મળે છે. જેને હટાવવાની કામગીરી હાઈકોર્ટના આદેશ બાદ સરકાર દ્વારા હાથ ધરવામાં આવી હતી. પરંતુ વિભાગની નબળી કામગીરીને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશને ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગના વડાને સસ્પેન્ડ કરી દીધા છે. સીએનસીડી વિભાગના વડા નરેશ રાજપુત તેમજ ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ ડો. પ્રતાપ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંને અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ બંને અધિકારીની જવાબદારી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટરને સોંપી દેવામાં આવી છે.  

Stray cattle in India get glow-in-the dark horns to prevent crashes with  vehicles | The World from PRX


હાઈકોર્ટની ટકોર બાદ પણ તંત્રની નબળી કામગીરી

અનેક વખત રસ્તા પર રહેતા ઢોરને કારણે રાહદારીઓને ગંભીર ઈજાઓ પહોંચડતી હોય છે. તે ઉપરાંત વાહન ચાલકોને પણ અનેક વખત ઢોરના ઝઘડાનો ભોગ બનવું પડે છે. જેને કારણે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. રખડતાં ઢોર મામલે હાઈકોર્ટે અનેક વખત તંત્રને ટકોર કરી છે. હાઈકોર્ટે ઢોર પકડવા મામલે તંત્રની કામગીરીથી નારાજગી વ્યક્ત કરી છે.

Ahmedabad Blasts Convicts To Move High Court Against Special Court Verdict

અસંતોષ વ્યક્ત કરતા કોર્ટે કહ્યું કે આજે પણ શહેરના અનેક વિસ્તારના રોડ પરથી રઝળતાં ઢોરનો ઉપદ્રવ દૂર થયો નથી. સરકારના ફરમાન બાદ પણ અધિકારીઓની ઢીલી નીતિને કારણે રસ્તા પર ગાયો દેખાતી નજરે પડે છે. ગાયોને કારણે અડધા રસ્તાઓ બ્લોક થઈ જતા હોય છે. અત્યાર સુધી તંત્રએ 2323થી વધુ પશુઓને પકડી ડબે પૂરી દીધા છે.  



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.