વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં 15 ઓક્ટોબર સુધી રહી શકે છે વરસાદી માહોલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 11:09:40

ગુજરાતમાં ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં મેઘરાજા પધરામણી કરી છે. હવામાન વિભાગે હજી થોડા દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરી છે. ક્યાંક ભારે તો ક્યાંક ઝરમર વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘો વરસી શકે છે. કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Mercury crashes 10 degrees after day-long rain in Delhi, hampers traffic |  Latest News Delhi - Hindustan Times

અનેક પંથકોમાં વરસ્યો વરસાદ

જુનાગઢ શહેરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. રવિવારના દિવસે માત્ર એક કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. પોરબંદરમાં પણ વરસાદ વરસ્યો હતો જેથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વીરપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ભરૂચમાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો હતો. વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. 

Gujarat In for Fresh Spells of Heavy Rains; Ahmedabad, Gandhinagar, Surat,  Vadodara, Rajkot on Alert Between August 5-9 | The Weather Channel

કમોસમી વરસાદ થતા ખેડૂતોની મહેનત જશે પાણીમાં 

વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. 15 ઓક્ટોબર સુધી વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરાતા ખેડૂતોની ચિંતામાં વધારો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકશાન થઈ શકે છે. મગફળી, સોયાબીન, કપાસના પાકને નુકશાન થવાની ભીંતી ખેડૂતો સેવી રહ્યા છે. મહિસાગરમાં પણ સતત વરસાદ થવાને કારણે પાણી ભરાઈ ગયા હતા. અમરેલીના સાવરકુંડલામાં વરસાદ થતા પાકને નુકશાન થયું હતું.   



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.