મહારાષ્ટ્રમાં યાત્રીકોને નડ્યો અકસ્માત, મુખ્યમંત્રીએ પાઠવી શ્રદ્ધાંજલિ


  • Published By :
  • Published Date : 2022-11-01 13:30:28

અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. અકસ્માતમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે. ત્યારે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં 6 લોકોના મોત થયા છે, અકસ્માત થવાને કારણે 5 મહિલા, 2 પૂરુષ અને એક બાળકનું મોત નિપજ્યું છે. આ ઘટના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ દુખ વ્યક્ત કર્યું છે.

6 લોકો મોતને ભેટ્યા જ્યારે અનેક લોકો થયા ઈજાગ્રસ્ત   

મહારાષ્ટ્રમાં ગઈ કાલ રાતના અકસ્માત સર્જાયો હતો જેમાં 6 લોકોના મોત થયા છે. ઝડપમાં આવતી કારે 7 યાત્રીકોને પોતાની અડફેટે લઈ લીધા હતા. કાર સાથે ટક્કર થવાથી અનેક લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટક્કર લાગવાથી મૃત્યુ પામેલા તીર્થયાત્રીકો સોલાપુરથી પઢંરપુર તરફ પગપાળા જઈ રહ્યા હતા. ત્યારે ફૂલ ઝડપે આવી રહેલી ગાડી તેમનો કાળ બની ગઈ.

Maha govt to continue Y plus security for 41 MLAs and 10 MPs of CM Shinde  camp | www.lokmattimes.com

એકનાથ શિંદેએ મૃતકોને અર્પી શ્રદ્ધાંજલિ

આ ઘટના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. ટ્વિટ કરી શિંદેએ લખ્યું કે કાર્તિકી યાત્રા માટે પઢંરપુર તરફ ચાલીને જઈ રહેલા તીર્થયાત્રીકોને સંગોલા મિરાજ રોડ પર એક વાહને ટક્કર મારી દીધી છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારને ભાવભીની શ્રદ્ધાંજલિ.        



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?