રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર સર્જાયો ગોઝારો અકસ્માત, ચાર લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-12-23 09:59:07

રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર અનેક વખત અકસ્માતના કિસ્સાઓ બની રહ્યા છે. અકસ્માત થવાને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર ઈકો કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં અંદાજીત 4 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈકો કાર ડમ્પરની પાછળ ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો છે. 


બે લોકોના ઘટના સ્થળે થયા મોત

અકસ્માતોની સંખ્યમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં અનેક લોકો મોતને ભેટે છે. ગઈ કાલે મહેસાણા નજીક અકસ્માત સર્જાયો હતો જ્યારે વધુ એક અકસ્માત રાજકોટ-અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર માલિયાસણ ગામ નજીક ઈકો કાર અને ડમ્પર વચ્ચે સર્જાયો છે. ઈકો કાર ડમ્પરની પાછળ ઘૂસી ગઈ હતી જેને કારણે આ એક્સિડન્ટ થયો છે. અકસ્માત થતા બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે સારવાર દરમિયાન અન્ય બે લોકોના મોત થયા છે. ઉપરાંત ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


પોલીસની અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી 

ગોઝારા અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને મળતી માહિતી અનુસાર ફૂલ સ્પીડમાં આવતી ઈકો કાર ડમ્પરની અંદર ઘૂસી ગઈ હતી. ઈકો કાર અંદાજીત ડમ્પરને ચીરીને બેથી ત્રણ ફૂટ અંદર જતી રહી હતી. ઘટનાની જાણ થતા 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં બે લોકોના મોત ઘટનાસ્થળે જ થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે લોકોના મોત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોની હાલત હાલ ગંભીર બતાવામાં આવી રહી છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.