મહારાષ્ટ્રના નાસિક-શિરડી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનામાં 10 લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-01-13 10:42:09

અકસ્માતોની સંખ્ય પ્રતિદિન વધી રહી છે. દરરોજ અનેક અકસ્માત થાય છે જેમાં લોકો મોતને ભેટતા હોય છે અથવા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે ગમખ્વાર અકસ્માત મહારાષ્ટ્રના નાસિકમાં થયો છે જેમાં 10 લોકોના મોત થયા છે જ્યારે 40 જેટલા લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર તમામ મુસાફરો શિરડી ખાતે આવેલા સાંઈ બાબાના દર્શન કરવા જઈ રહ્યા હતા.

બસમાં સવાર 10 લોકોના ઘટના સ્થળે થયા મોત 

શુક્રવારની સવારે એક અકસ્માત સર્જાયો છે જેમાં 10 લોકોના મોત થયા છે જ્યારે 40 જેટલા લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત મહારાષ્ટ્રના શિરડી હાઈવે પર થયો છે. બસ અને ટ્રક ભટકાતા બંને વચ્ચે ગંભીર અકસ્માત સર્જોયો હતો. અકસ્માતને કારણે બસમાં સવાર 10 લોકોના મોત થયા છે જ્યારે 40 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને લઈ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. ઉપરાંત મૃતકોને પાંચ લાખ વળતર આપવાની જાહેરાત કરી છે.


અકસ્માતમાં અનેક લોકો થાય છે ઈજાગ્રસ્ત 

દેશમાં અકસ્માતોને કારણે મોત પામનાર લોકોનો આંકડો સતત વધી રહ્યો છે. કોઈ વખત ખીણમાં પડી જવાથી, કોઈ વખત ઝાડ સાથે ભટકાવવાથી તો કોઈ વખત બે વાહનો વચ્ચે ટક્કર થવાથી અકસ્માત સર્જાતા હોય છે. આ અકસ્માત બસ અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના નાસિક-શિરડી હાઈવે પર બની હતી. બસમાં સવાર મુસાફરો શિરડીના સાંઈ બાબાના દર્શન કરવા જઈ રહ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે 10 લોકોના મોત ઘટના સ્થળે થઈ ગયા હતા.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.