મહારાષ્ટ્રના નાસિક-શિરડી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનામાં 10 લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-01-13 10:42:09

અકસ્માતોની સંખ્ય પ્રતિદિન વધી રહી છે. દરરોજ અનેક અકસ્માત થાય છે જેમાં લોકો મોતને ભેટતા હોય છે અથવા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે ગમખ્વાર અકસ્માત મહારાષ્ટ્રના નાસિકમાં થયો છે જેમાં 10 લોકોના મોત થયા છે જ્યારે 40 જેટલા લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર તમામ મુસાફરો શિરડી ખાતે આવેલા સાંઈ બાબાના દર્શન કરવા જઈ રહ્યા હતા.

બસમાં સવાર 10 લોકોના ઘટના સ્થળે થયા મોત 

શુક્રવારની સવારે એક અકસ્માત સર્જાયો છે જેમાં 10 લોકોના મોત થયા છે જ્યારે 40 જેટલા લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત મહારાષ્ટ્રના શિરડી હાઈવે પર થયો છે. બસ અને ટ્રક ભટકાતા બંને વચ્ચે ગંભીર અકસ્માત સર્જોયો હતો. અકસ્માતને કારણે બસમાં સવાર 10 લોકોના મોત થયા છે જ્યારે 40 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને લઈ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. ઉપરાંત મૃતકોને પાંચ લાખ વળતર આપવાની જાહેરાત કરી છે.


અકસ્માતમાં અનેક લોકો થાય છે ઈજાગ્રસ્ત 

દેશમાં અકસ્માતોને કારણે મોત પામનાર લોકોનો આંકડો સતત વધી રહ્યો છે. કોઈ વખત ખીણમાં પડી જવાથી, કોઈ વખત ઝાડ સાથે ભટકાવવાથી તો કોઈ વખત બે વાહનો વચ્ચે ટક્કર થવાથી અકસ્માત સર્જાતા હોય છે. આ અકસ્માત બસ અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના નાસિક-શિરડી હાઈવે પર બની હતી. બસમાં સવાર મુસાફરો શિરડીના સાંઈ બાબાના દર્શન કરવા જઈ રહ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે 10 લોકોના મોત ઘટના સ્થળે થઈ ગયા હતા.     




ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.