વડોદરામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, એસટી બસ અને બાઈક વચ્ચેની ટક્કરમાં થયાં ત્રણ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-04-10 08:50:43

બેફામ રીતે વાહન ચલાવવાને કારણે અનેક વખત ગંભીર અકસ્માત સર્જાતા હોય છે. અકસ્માતમાં અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે તો અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રવિવારે વડોદરામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટનાસ્થળ પર ત્રણ લોકોના મોત થઈ ગયા છે. એસટી બસ અને બાઈક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળ પર આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 


એસટી બસ અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત 

અકસ્માતોની સંખ્યામાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. અકસ્માતને કારણે અનેક લોકોના જીવ પણ ગયા છે. સ્પિડમાં વાહન ચલાવવાને કારણે મુખ્યત્વે અકસ્માતો સર્જાતા હોય છે. ઝડપની મજા અનેક વખત મોતની સજામાં પરિણમતી હોય છે. સરકારી બસ પણ અનેક વખત બેફામ દોડતી જોવા મળતી હોય છે. ત્યારે રવિવારે  વડોદરામાં આવેલા હાલોલ રોડ પર એસટી બસ અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેમાં બાઈક સવાર ત્રણ લોકોના મોત ઘટનાસ્થળ પર થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર મૃતકોમાં એક જ પરિવારના બે સગા ભાઈ હતા અને એક મિત્ર હતો જે મોતને ભેટ્યો છે.  


અકસ્માતમાં ત્રણ લોકોના થયા મોત 

ત્રણ યુવાનોના મોત થતાં લોકોમાં શોક વ્યાપી ઉઠ્યો હતો. દુખની લાગણી પ્રસરી હતી. એસટી બસ વડોદરાથી હાલોલ તરફ જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની છે. પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એક જ ગામના ત્રણ લોકોના મોત થતાં ગામમાં પણ શોકનો માહોલ વ્યાપી ઉઠ્યો છે.     

 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.