અમદાવાદમાં ફરી એક વખત સર્જાયો ગમખ્વાર અકસ્માત, અમદાવાદ-બગોદરા હાઇવે પર થયેલા અકસ્માતમાં બુજાઈ આટલા લોકોની જીંદગી


  • Published By :
  • Published Date : 2023-08-11 14:58:09

થોડા સમય પહેલા ઈસ્કોન બ્રિજ પાસે થયેલા અકસ્માતની ચર્ચાઓ નથી શાંત થઈ. ત્યારે ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા છે. અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે જેમાં 5 મહિલા, 3 બાળકો સહિત 10 જેટલા લોકો મોતને ભેટ્યા છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તેના વિશે વાત કરીએ તો મિની ટ્રક પાછળ ટ્રક ઘૂસી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માત અમદાવાદથી 50 કિમી દૂર સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઈજાગસ્ત થયા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો કપડવંજના વતની હતા. અને ચોટીલાથી દર્શન કરી પરત ફરી વળ્યા હતા.    



રસ્તા પર ઉભેલી ટ્રક પાછળ ઘૂસી મીનિ ટ્રક 

અમદાવાદમાં ફરી એક વખત ગંભીર અકસ્માત સર્જાયો છે. ચોટીલાના દર્શનેથી પાછી ફરતી વખતે આ અકસ્માત સર્જાયો છે. ટ્રક પાછળ મીનિ ટ્રક ઘૂસી જવાને કારણે આ અકસ્માત સર્જાયો છે 10 લોકો કાળનો કોળિયો બન્યા છે. મૃતકોમાં 5 મહિલા, 3 બાળકો અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. અનેક લોકો ઘાયલ પણ થયા અને મળતી માહિતી અનુસાર ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધી પણ શકે છે. સારવાર અર્થે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે થોડા સમય પહેલા થયેલા અકસ્માતની ચર્ચા હજી શાંત નથી થઈ ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.