નવસારીમાં બન્યો ગોઝારો અકસ્માત, કાર બેકાબુ બનતા બસ સાથે અથડાતા સર્જાઈ દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2022-12-31 16:20:20

રોડ અકસ્માતને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે એક ગમખવાર અકસ્માત નવસારીમાં નેશનલ હાઈવે 48 પર સર્જાયો છે. બસ અને કાર વચ્ચે સર્જાયેલો અકસ્માત એટલો ગંભીર હતો કે આ અકસ્માતમાં 9 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 32 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


કાર અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત 

2022નો આજે અંતિમ દિવસ છે. પરંતુ 2022ના છેલ્લા દિવસોમાં અનેક દુખદ સમાચારો મળી રહ્યા છે. અનેક અકસ્માતો થઈ રહ્યા છે જ્યારે અનેક લોકોના મોતને કારણે દુખનું વાતાવરણ ઉભું થઈ રહ્યું છે. ફરી એક વખત રોડ અકસ્માતને કારણે 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નવસારીના નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ગાડી અને બસ વચ્ચે સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ખાતે ચાલી રહેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત લઈ આ બસ પરત ફરી રહી હતી તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. 


કારમાં સવાર 9 લોકોના થયા મોત  

ફોર્ચ્યુનર ગાડી અને બસ વચ્ચે અકસ્માત થતા કારમાં સવાર તમામ લોકો કાળનો કોળિયો બન્યા છે જ્યારે બસમાં બેઠેલા લોકોને પણ ઈજાઓ પહોંચી છે. ઉપરાંત બસ ડ્રાઈવરને એટેક આવતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો આગળનો ભાગ એકદમ તૂટી પડ્યો. અકસ્માત થતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.   


વળતર ચૂકવવાની કરી જાહેરાત 

આ ઘટનાને લઈ અમિત શાહે દુખ વ્યક્ત કર્યું છે. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીની ઓફિસ દ્વારા પોસ્ટ શેર કરવામાં આવી જેમાં લખવામાં આવ્યું કે આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોને  2 લાખનું વળતર આપવામાં આવશે જ્યારે ઈજાગ્રસ્તોને 50000ની રકમ ચૂકવામાં આવશે.  





થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!