Jamnagarમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર અને કાર વચ્ચે ટક્કર થતા થયા આટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-02 11:09:55

અકસ્માતોની વણજાર રાજ્યમાં થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ભીષણ  રોડ અકસ્માતમાં અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હશે. અનેક કિસ્સાઓ તો એવા હોય છે જેમાં આખેઆખો પરિવાર અકસ્માતમાં મોતને ભેટે છે. કોઈ વખત દર્શન કરી પરત ફરી રહેલો પરિવાર કાળનો કોળિયો બનતો હોય છે તો કોઈ વખત પ્રસંગમાં જતા લોકોના મોત અકસ્માતમાં થાય છે. અનેક અકસ્માત તો એટલા ભયંકર હોય છે કે લોકોના મોત ઘટનાસ્થળ પર જ થઈ જાય છે. ત્યારે આજે આવો જ ગંભીર રોડ અકસ્માત જામનગર કાલાવડ હાઈવે પર સર્જાયો છે. કાર અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થતાં 3 લોકોના મોત ઘટના સ્થળ પર જઈ ગયા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ છે તેવી માહિતી સામે આવી રહી છે.

 કિંજલ કારસરીયા, જામનગર: જામનગર-કાલાવડ હાઇવે રવિવારે રાત્રે રક્તરંજિત થયો છે. મોટી માટલી પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં સૈયદ પરિવારના ત્રણ લોકોના મોત નિપજયા છે. આ સાથે અન્ય બે લોકો ગંભીરરીતે ઘાયલ થયા હતા. જેઓને સ્થાનિકોએ તાત્કાલિક 108ને જાણ કરી જી.જી.હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. જામનગરમાં ગોઝારા અકસ્માતના આ સમાચાર મોડી રાત્રે મળતા જ સમગ્ર મુસ્લિમ સમાજમાં શોક જોવા મળ્યો છે.

 આ ઉપરાંત બે લોકોને ઈજાઓ પણ પહોચી હતી. આ ગોઝારા અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા.

આ દુર્ઘટનામાં થયા ત્રણ લોકોના મોત

રવિવાર રાત્રે જામનગર-કાલાવડ હાઈવે પર ગંભીર રોડ અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળ પર ત્રણ લોકોના મોત થઈ ગયા છે જ્યારે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મોટી માટલી ગામ નજીક ટ્રેક્ટર તેમજ કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 108ની મદદથી ઈજા પામેલા લોકોને જી.જી. હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં જે લોકોના મોત થયા છે તે એક જ પરિવારના છે. સૈયદ પરિવારના ત્રણ લોકોના મોત આ ઘટનામાં થયા છે.  જામનગર કાલાવડ હાઇવે પર મોટી માટલી ગામ પાસે GJ10DN7264 નંબરની કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

 જામનગર-કાલાવડ હાઇવે પર રવિવારની રાત્રે મોટી માટલી ગામ નજીક અકસ્માતની ગોઝારી દુર્ઘટના ઘટી છે. આ અકસ્માતમાં જામનગર જિલ્લા મુસ્લિમ સમાજના પીર એવા સૈયદ આમનશાબાપુ સિદ્દીકમિયાબાપુ મટારી સહિત તેમના પરિવારના સૈયદ આબેદામાં અને સૈયદ ઝેનબમાંના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા.

 રવિવારે રાત્રે થયેલા ગોઝારા અકસ્માતમાં મસિતિયાના પૂજારી ગણાતા સૈયદ પરિવારના 3 લોકોના મોતના સમાચાર મળતા જ સમગ્ર મુસ્લિમ સમગ્ર સમાજ તેમજ મસિતિયા ગામમાં શોકનો માહોલ છવાયો છે. મોડી રાત્રે જી.જી.હોસ્પિટલ ખાતે મસીતિયા ગામના અગ્રણી હાજી કસમભાઇ ખફી, હનીફભાઇ પતાણી અને ઇકબાલભાઇ ખફી (ભૂરાભાઇ) સહિત લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

અકસ્માતમાં નિર્દોષ લોકો ગુમાવતા હોય છે પોતાનો જીવ

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી અકસ્માતોના ઘણા બનાવો બની રહ્યા છે. અનેક ટક્કર એટલી ગંભીર હોય છે કે સારવાર મળે તે પણ લોકોના નસીબમાં નથી હોતું. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ લોકો દમ તોડી દેતા હોય છે. અનેક લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ મોત થઈ જતું હોય છે. ઘરેથી નિકળેલા માણસને નથી ખબર હોતી કે તે પરત ઘરે ફરશે કે નહી. અકસ્માતમાં ઘણી વખત નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!