અમદાવાદમાં ફરી સર્જાયો અકસ્માત! નશાની હાલતમાં BMW લઈ નીકળેલા યુવકે અથડાવી ગાડી, પોલીસે કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-07-27 14:06:51

હજી સુધી ઈસ્કોનમાં થયેલા અકસ્માતની ચર્ચાઓ શાંત નથી થઈ, ત્યાં તો બીજા અનેક અકસ્માતોની ઘટના સામે આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા મણિનગરમાં એક અકસ્માત સર્જાયો હતો ત્યારે ગઈકાલે ફરી એક નબીરાએ અકસ્માત સર્જ્યો છે. વધુ એક અકસ્માત અમદાવાદના રસ્તા પર સર્જાયો છે. નશાની હાલતમાં ધૂત થયેલા નબીરાએ માણેકબાગ વિસ્તારમાં અકસ્માત સર્જ્યો છે. આ વખતે બીએમડબલ્યુ કારમાં આવેલા યુવકે વસ્ત્રાપુર તરફથી માણેકબાગ અને ત્યાંથી મણિનગર તરફ જતી વખતે એક્સીડન્ટ કર્યો છે. નશામાં ચિક્કાર થયેલા નબીરાએ રસ્તામાં અનેક વાહનો સાથે એક્સીડન્ટ કર્યો.  


નશાની હાલતમાં BMW ગાડી ચલાવતા નબીરાએ સર્જ્યો અકસ્માત  

એક તરફ રાજ્યમાં પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે તો બીજી તરફ અકસ્માતોની સંખ્યા પણ સતત વધતી જઈ રહી છે. હજી એક નબીરા વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી થઈ રહી છે, ત્યાં તો બીજા એક નબીરાની કરતૂત સામે આવી છે. નશાની હાલતમાં પહેલા તો નબીરાએ BMW ગાડી ચલાવી અને પછી અકસ્માત સર્જ્યો. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. બીએમડબલ્યુ કારમાં યુવક વસ્ત્રાપુર તરફથી માણેકબાગ અને ત્યાંથી મણિનગર તરફ જઈ રહ્યો હતો. અકસ્માત કરનાર યુવકે ચિક્કાર દારૂ પીધો હતો. મળતી માહિતી અનુસાર તેણે રસ્તામાં અલગ અલગ જગ્યાએ કારને અથડાવી હતી. આખરે માણેકબાગ પાસે કાર ઝાડ સાથે અથડાઈ. એક્સીડન્ટ થતાં તે નશાની હાલતમાં કારમાંથી બહાર આવ્યો હતો. જેવો તે ગાડીમાંથી બહાર આવ્યો. પોલીસને આ ઘટનાની જાણ થતાં કાર્યવાહી કરવામાં આવી અને તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. 


મણિનગરના રહેવાસીને પોલીસે લીધો કસ્ટડીમાં  

પોશ એરિયામાં મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો જેને કારણે રસ્તા પર ઓછા લોકો હાજર હતા. ઘટનાસમયે જે લોકો હાજર હતા તે ત્યાં ભેગા થઈ ગયા હતા. દારૂ પિધેલી હાલતમાં તે ગાડીમાંથી નીચે ઉતર્યો ત્યારે લોકોએ તેને માર માર્યો હતો. પોલીસને આ અંગે જાણ કરાઈ. મળતી માહિતી અનુસાર આ વ્યક્તિનું નામ કમલેશ બિશ્નોઈ છે અને તે મણિનગરનો રહેવાસી છે. દારૂ પીને ગાડી ચલાવતા નબીરાઓને લઈ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. 


ગાડી તમારા બાપની ભલે હોય પરંતુ રસ્તો તમારા બાપનો નથી  

ઓવરસ્પીડિંગને કારણે તેમજ નશાની હાલતમાં હોવાને કારણે અનેક અકસ્માતો સર્જાય છે. નશામાં ટલ્લી થઈ નબીરાઓ એવી બેફામ રીતે ગાડીઓ ચલાવતા હોય છે કે જાણે રસ્તો તેમના બાપનો હોય. પરંતુ તે ભૂલી જાય છે કે ભલે ગાડી તમારા બાપની હોય પરંતુ રસ્તો તમારા બાપની પ્રોપર્ટી નથી. ત્યાં સામાન્ય લોકો, વાહનચાલકો પોતાના વાહનો ચલાવતા હોય છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ જો જાનહાની થઈ હોત તો? 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.