અમદાવાદમાં ફરી સર્જાયો અકસ્માત! નશાની હાલતમાં BMW લઈ નીકળેલા યુવકે અથડાવી ગાડી, પોલીસે કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-07-27 14:06:51

હજી સુધી ઈસ્કોનમાં થયેલા અકસ્માતની ચર્ચાઓ શાંત નથી થઈ, ત્યાં તો બીજા અનેક અકસ્માતોની ઘટના સામે આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા મણિનગરમાં એક અકસ્માત સર્જાયો હતો ત્યારે ગઈકાલે ફરી એક નબીરાએ અકસ્માત સર્જ્યો છે. વધુ એક અકસ્માત અમદાવાદના રસ્તા પર સર્જાયો છે. નશાની હાલતમાં ધૂત થયેલા નબીરાએ માણેકબાગ વિસ્તારમાં અકસ્માત સર્જ્યો છે. આ વખતે બીએમડબલ્યુ કારમાં આવેલા યુવકે વસ્ત્રાપુર તરફથી માણેકબાગ અને ત્યાંથી મણિનગર તરફ જતી વખતે એક્સીડન્ટ કર્યો છે. નશામાં ચિક્કાર થયેલા નબીરાએ રસ્તામાં અનેક વાહનો સાથે એક્સીડન્ટ કર્યો.  


નશાની હાલતમાં BMW ગાડી ચલાવતા નબીરાએ સર્જ્યો અકસ્માત  

એક તરફ રાજ્યમાં પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે તો બીજી તરફ અકસ્માતોની સંખ્યા પણ સતત વધતી જઈ રહી છે. હજી એક નબીરા વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી થઈ રહી છે, ત્યાં તો બીજા એક નબીરાની કરતૂત સામે આવી છે. નશાની હાલતમાં પહેલા તો નબીરાએ BMW ગાડી ચલાવી અને પછી અકસ્માત સર્જ્યો. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. બીએમડબલ્યુ કારમાં યુવક વસ્ત્રાપુર તરફથી માણેકબાગ અને ત્યાંથી મણિનગર તરફ જઈ રહ્યો હતો. અકસ્માત કરનાર યુવકે ચિક્કાર દારૂ પીધો હતો. મળતી માહિતી અનુસાર તેણે રસ્તામાં અલગ અલગ જગ્યાએ કારને અથડાવી હતી. આખરે માણેકબાગ પાસે કાર ઝાડ સાથે અથડાઈ. એક્સીડન્ટ થતાં તે નશાની હાલતમાં કારમાંથી બહાર આવ્યો હતો. જેવો તે ગાડીમાંથી બહાર આવ્યો. પોલીસને આ ઘટનાની જાણ થતાં કાર્યવાહી કરવામાં આવી અને તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. 


મણિનગરના રહેવાસીને પોલીસે લીધો કસ્ટડીમાં  

પોશ એરિયામાં મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો જેને કારણે રસ્તા પર ઓછા લોકો હાજર હતા. ઘટનાસમયે જે લોકો હાજર હતા તે ત્યાં ભેગા થઈ ગયા હતા. દારૂ પિધેલી હાલતમાં તે ગાડીમાંથી નીચે ઉતર્યો ત્યારે લોકોએ તેને માર માર્યો હતો. પોલીસને આ અંગે જાણ કરાઈ. મળતી માહિતી અનુસાર આ વ્યક્તિનું નામ કમલેશ બિશ્નોઈ છે અને તે મણિનગરનો રહેવાસી છે. દારૂ પીને ગાડી ચલાવતા નબીરાઓને લઈ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. 


ગાડી તમારા બાપની ભલે હોય પરંતુ રસ્તો તમારા બાપનો નથી  

ઓવરસ્પીડિંગને કારણે તેમજ નશાની હાલતમાં હોવાને કારણે અનેક અકસ્માતો સર્જાય છે. નશામાં ટલ્લી થઈ નબીરાઓ એવી બેફામ રીતે ગાડીઓ ચલાવતા હોય છે કે જાણે રસ્તો તેમના બાપનો હોય. પરંતુ તે ભૂલી જાય છે કે ભલે ગાડી તમારા બાપની હોય પરંતુ રસ્તો તમારા બાપની પ્રોપર્ટી નથી. ત્યાં સામાન્ય લોકો, વાહનચાલકો પોતાના વાહનો ચલાવતા હોય છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ જો જાનહાની થઈ હોત તો? 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!