લદ્દાખમાં ગમખ્વાર દુર્ઘટના, સેનાની ટ્રક ખાઈમાં ખાબકી, 9 જવાન શહીદ, PM મોદીએ વ્યક્ત કર્યો શોક


  • Published By :
  • Published Date : 2023-08-20 11:05:03

લદ્દાખના લેહ પાસે સેનાની એક ટ્રક ઉંડી ખીણમાં ખાબકતા આ ટ્રકમાં સવાર એક જુનિયર કમિશન્ડ ઓફિસર અને 8 જવાન શહીદ થયા હતા. જ્યારે એક જવાન ઘાયલ થયો છે.  ઘાયલ જવાનને સેનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અકસ્માત ક્યારી વિસ્તાર પાસે થયો હતો. સેના સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર સેનાની ટ્રકની સાથે એમ્બ્યુલન્સ અને યુએસવી પણ જઈ રહી હતી. આ તમામ વાહનોમાં કુલ 34 સેનાના જવાનો હતા. સેનાની ટ્રકને શનિવારે સાંજે 6.30 કલાકે અકસ્માત નડ્યો હતો. 


ALS વાહનમાં 10 જવાન હતા


આ ગમખ્વાર દુર્ઘટના વિશે લદ્દાખના એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટના ક્યારી શહેરથી 7 કિમી દૂર થઈ હતી. સેનાનું વાહન ખાડામાં પડી ગયું હતું. સૈનિકો કારુ ગેરિસનથી લેહ નજીક ક્યારી તરફ જઈ રહ્યા હતા.ભારતીય સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, એક ALS વાહન લેહથી ન્યોમા તરફ કાફલા સાથે જઈ રહ્યું હતું. શનિવારે સાંજે 5:45-6:00 વાગ્યાની વચ્ચે, ક્યારીથી 7 કિલોમીટર પહેલાં, તે ખીણમાં લપસી ગયું હતું. વાહનમાં 10 જવાન હતા, જેમાંથી 9ના મોત થયા હતા અને એક ઘાયલ થયો હતો. ઘાયલ જવાનોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.


8 સૈનિકોના ઘટના સ્થળે જ મોત


8 સૈનિકોના ઘટના સ્થળે જ મોત, એકનું હોસ્પિટલમાં મોત લેહના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) પીડી નિત્યાએ જણાવ્યું કે સેનાના વાહનમાં 10 સૈનિકો હતા. આ વાહન લેહથી ન્યોમા તરફ જઈ રહ્યું હતું. ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો અને ખાડામાં પડી ગયો. પોલીસની એક ટીમ અકસ્માત સ્થળે પહોંચી હતી અને તમામ ઘાયલ જવાનોને સેનાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં આઠ જવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ અન્ય એક જવાનનું મોત થયું હતું. એક જવાનની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.


PM મોદી સહિતના નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું 


રાષ્ટ્ર પતિ દ્રોપદી મુર્મુ, PM નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ તથા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું, લેહ પાસે થયેલા અકસ્માતથી હું દુ:ખી છું. આપણે ભારતીય સેનાના જવાનો ગુમાવ્યા છે. રાષ્ટ્ર પ્રત્યેની તેમની સમૃદ્ધ સેવા હંમેશા યાદ રાખવામાં આવશે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. જેઓ ઘાયલ છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના.



લોકસભાની ચૂંટણી પછી સૌથી પહેલો સવાલ હતો કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? આ સવાલનો જવાબ આજે અથવા તો કાલે મળી જશે કારણ કે 4-5મી જુલાઈએ એટલે આજે અને આવતી કાલે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક સાળંગપુરમાં મળવાની છે. આ બેઠકમાં નવા અધ્યક્ષના નામ પર મોહર લાગી શકે છે..

ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી એટલો વિકાસ થયો કે છેક રોડ રસ્તામાં બસ આખી ખાડામાં સમાય શકે છે... મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ગુજરાતમાં કરી અને સ્માર્ટસિટીના દાવા એ જ વરસાદી પાણીમાં ધોવાય ગયા

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાવાનું છે. બ્રિટનમાં 14 વર્ષથી સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી અને પીએમ ઋષિ સુનક માટે આ ચૂંટણી એક અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે મોટા ભાગના સરવેમાં પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, વિપક્ષી લેબર પાર્ટી 2010 પછી સત્તામાં વાપસી કરે તેવી સંભાવનાઓ રહેલી છે.

મહાભારતનું યુદ્ધ ચાલતું હોય અને રણમેદાનમાંથી ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો ઉપદેશ્ય આપે.. કાલિદાસજીના ભોજ પત્રોને ફેંદીએ તો તેમાંથી કવિતા નીકળે.. જનક રાજા હળ ચલાવે તો જમીનમાંથી સીતાજી મળે..