બનાસકાંઠામાં લાંચીયા તલાટી કમ મંત્રી અધિકારીને પકડવા ACBએ ગોઠવ્યું છટકું, કોન્ટ્રાક્ટર પાસેથી માગી હતી આટલા હજારની લાંચ!


  • Published By :
  • Published Date : 2023-06-20 09:42:53

ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયો છે જો તેવી વાત કોઈ કરે તો આપણને હસવું આવે છે, કારણ કે આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં સરકારી અધિકારી લાંચ લેતા પકડાયા હોય છે. થોડા દિવસો પહેલા મહિલા કર્મચારીને પાંચ હજારની લાંચ લેતા એસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા. ત્યારે ફરી એક વખત લાંચિયા અધિકારીને પકડી પાડવામાં આવ્યો છે. આ ઘટના છે બનાસકાંઠા જિલ્લાની. એસીબીએ કર્મચારીને પચાસ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે.  


કોન્ટ્રાક્ટર પાસેથી સરકારી અધિકારીએ માગ્યા 50 હજાર!

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં શિરવાડા ગામ આવેલું છે. જ્યાંના તલાટી કમ મંત્રી છે ભાવેશ પ્રજાપતિ. ગામડામાં વિવિધ વિકાસ કાર્યો માટે ગ્રાન્ટ પણ આવતી હોય છે અને અમુક મંજૂર પણ કરાવવાની હોય છે. તો શિરવાડા ગામમાં રસ્તાનું કામ કરવાનું હતું. તલાટી કમ મંત્રી ભાવેશ પ્રજાપતિએ કોન્ટ્રાક્ટર પાસે 50 હજાર રૂપિયાની લાંચ માગી હતી. કામનું બિલ જલદી મંજૂર કરવા અને જલ્દીથી નાણાની ચૂકવણીની પ્રક્રિયા પૂરી કરવા માટે  તેમણે કોન્ટ્રાક્ટર પાસે 50 હજાર રૂપિયા માગ્યા હતા. 


લાંચીયા અધિકારીને પકડી પાડવા એસીબીએ છટકું!

કોન્ટ્રાક્ટરે એન્ટી કરપ્શન બ્યૂરોને ફરિયાદ કરી દીધી કે તલાટી કમ મંત્રી તો લાંચ માગી રહ્યા છે. એસીબીએ તલાટી કમ મંત્રીને લાંચ લેતા પકડવા માટે છટકું ગોઠવ્યું. અંતે પાલનપુર એન્ટી કરપ્શન બ્યૂરોએ શિરવાડા ગ્રામ પંચાયત કચેરીમાં જ તલાટી કમ મંત્રી ભાવેશ પ્રજાપતિને પચાસ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો. હાલ બનાસકાંઠા પોલીસે તલાટી સામે કાયદેસરની કાર્યવાહી કરી અટકાયત કરી લીધી છે. 


સારો પગાર હોવા છતાંય કેમ અધિકારીઓ લેતા હોય છે લાંચ?

અવાર નવાર આવા સમાચાર સામે આવી જાય છે. સરકારી અધિકારી એ ભૂલે છે કે તમે સરકારી અધિકારી છો યાર. તમારે લાંચની શું જરુર છે. ઓલરેડી સરકાર તમને આટલો પગાર આપે છે, કેટકેટલીય સરકારી સુવિધાઓ આપે છે જે ખાનગી સંસ્થામાં તો સપને પણ ન મળે. આ બધુ બંધ થવું જોઈએ. જો તમારી આસપાસ પણ કોઈ આવા કામ કરતું હોય તો તરત એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક કરો. ગામ વચ્ચે બદનામ થશે અને પોલીસના સળિયા ગણશે  ને ત્યારે ભાન આવી જશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.