એબીપી સી વોટર સર્વેમાં ચોંકાવનારા પરિણામો, કર્ણાટકમાં ભાજપને ફટકો, CM તરીકે સિદ્ધારમૈયા પહેલી પસંદ


  • Published By :
  • Published Date : 2023-03-29 19:08:51

ચૂંટણી પંચે બુધવારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ ચૂંટણીને લઈને એબીપી ન્યૂઝ સી વોટરે એક સર્વે હાથ ધર્યો છે. આ સર્વેમાં 24 હજાર 759 લોકોના મંતવ્યો લેવામાં આવ્યા છે. સી વોટરે ઓપિનિયન પોલમાં લોકોને વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા, જેમ કે કર્ણાટકમાં કઈ પાર્ટી સરકાર બનાવી શકે છે? આ સર્વેના  પરિણામો ખૂબ જ રસપ્રદ છે. આ ઓપિનિયન પોલમાં માર્જીન ઓફ એરર પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે. 


સત્તાધારી ભાજપને ફટકો


રાજયમાં કઈ પાર્ટીની સરકાર બનશે આ પ્રશ્નના ખૂબ જ ચોંકાવનારા પરિણામો સર્વેમાં સામે આવ્યા છે. ઓપિનિયન પોલમાં 39 ટકા લોકો માને છે કે કોંગ્રેસની સરકાર બનશે. ભાજપને 34 ટકા લોકોએ પસંદ કર્યો હતો જ્યારે 17 ટકા લોકોએ જેડીએસની તરફેણમાં મતદાન કર્યું હતું. 3 ટકા લોકોનું કહેવું છે કે રાજ્યમાં ત્રિશંકુ સરકાર બનશે.


CM તરીકે સિદ્ધારમૈયા પહેલી પસંદ


કર્ણાટકના સીએમ તરીકે લોકોની પહેલી પસંદ કોંગ્રેસના નેતા પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા છે. તે 39 ટકા લોકોની પહેલી પસંદ છે. તેમના પછી વર્તમાન મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ  (31%), કુમારસ્વામી (21%) અને ડીકે શિવકુમાર (3%)નો નંબર આવે છે.


ચૂંટણીમાં બેરોજગારી સૌથી મોટો મુદ્દો


કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો શું છે? આ પ્રશ્નના જવાબમાં 29 ટકા લોકોએ કહ્યું કે બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર (22%), શિક્ષણ (19%), ભ્રષ્ટાચાર (13%), કાયદો અને વ્યવસ્થા (3%) અને અન્ય (14%)ને પણ મુખ્ય મુદ્દાઓ તરીકે ગણવામાં આવ્યા છે.


કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર


કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. કર્ણાટકમાં 10 મેના રોજ એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. 13મી મેના રોજ પરિણામ જાહેર થશે. આ જાહેરાત સાથે જ દક્ષિણના આ રાજ્યમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) અને મુખ્ય હરીફ કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગનું બ્યુગલ વાગી ગયું છે. જનતા દળ (સેક્યુલર) રાજ્યનો ત્રીજો મોટો પક્ષ છે. કર્ણાટકમાં 224 સભ્યોની વિધાનસભા છે. હાલમાં ભાજપ પાસે 119 બેઠકો છે. કોંગ્રેસ પાસે 75 બેઠકો છે. જેડી(એસ) પાસે 28 ધારાસભ્યો છે, બે બેઠકો ખાલી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.