ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે ABP C-વોટર સર્વેમાં આશ્ચર્યજનક ઘટષ્ફોટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 19:10:46

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થોડા મહિનામાં યોજાવાની છે ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવામાં લાગ્યા છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને હવે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે. આ ત્રણેય પક્ષોમાંથી કોણ ગાંધીનગરની ખુરશી મેળશે તેના પર લોકોની નજર છે. જો કે આ વિધાનસભાની ચૂંટણીને લઈ  ABP સી-વોટરના ઓપિનિયન પોલમાં આ વખતે કોની સરકાર રચાશે તે અંગે આશ્ચર્યજનક ખુલાસો કરવામાં આવ્યો છે. 



ભાજપને મળી શકે 131-147 જેટલી બેઠકો


ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં ભાજપના ફાળે 131-147 જેટલી બેઠકો આવશે તેવું ABP-C વોટરના સર્વે પરથી જાણવા મળે છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીને 32-48 જેટલી સીટો તથા આમ આદમી પાર્ટીને માત્ર 3-5 જેટલી સીટ મળતી હોવાનું અનુમાન છે. અને અન્યના ફાળે 3-5 જેટલી સીટ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.


40 ટકા લોકો સરકારથી નારાજ


ABP સી-વોટરના સર્વેમાં લોકોને એક સવાલ પૂછાયો હતો કે, ગુજરાતમાં કેટલા ટકા લોકો વર્તમાન સરકાર બદલવા માગે છે? સવાલના જવાબમાં 34 ટકા લોકોએ સરકારથી નારાજ હોવાનું અને બદલવા માગે છે તેમ કહ્યું. જ્યારે 40 ટકા લોકોએ સરકારથી નારાજ હોવાનું સ્વીકાર્યું પણ બદલવા ન માગતા હોવાનું કહ્યું. જ્યારે 26 ટકા લોકોએ સરકારથી નારાજ પણ નથી અને બદલવી પણ નથી તેમ જણાવ્યું હતું.


63 ટકા લોકોના મતે BJPની સરકાર બનશે


ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કોણ જીતશે? તેવો ABP C-વોટર સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલના જવાબમાં 63 ટકા લોકોએ ભાજપ, 9 ટકાએ કોંગ્રેસ તથા 19 ટકાએ AAP જીતશે એમ જણાવ્યું હતું. જ્યારે 2 ટકાએ અન્ય, 2 ટકાએ ત્રિશંકુ સરકાર તો 5 ટકા લોકો ખબર નથી એવો જવાબ આપ્યો હતો.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.