ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે ABP C-વોટર સર્વેમાં આશ્ચર્યજનક ઘટષ્ફોટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 19:10:46

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થોડા મહિનામાં યોજાવાની છે ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવામાં લાગ્યા છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને હવે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે. આ ત્રણેય પક્ષોમાંથી કોણ ગાંધીનગરની ખુરશી મેળશે તેના પર લોકોની નજર છે. જો કે આ વિધાનસભાની ચૂંટણીને લઈ  ABP સી-વોટરના ઓપિનિયન પોલમાં આ વખતે કોની સરકાર રચાશે તે અંગે આશ્ચર્યજનક ખુલાસો કરવામાં આવ્યો છે. 



ભાજપને મળી શકે 131-147 જેટલી બેઠકો


ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં ભાજપના ફાળે 131-147 જેટલી બેઠકો આવશે તેવું ABP-C વોટરના સર્વે પરથી જાણવા મળે છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીને 32-48 જેટલી સીટો તથા આમ આદમી પાર્ટીને માત્ર 3-5 જેટલી સીટ મળતી હોવાનું અનુમાન છે. અને અન્યના ફાળે 3-5 જેટલી સીટ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.


40 ટકા લોકો સરકારથી નારાજ


ABP સી-વોટરના સર્વેમાં લોકોને એક સવાલ પૂછાયો હતો કે, ગુજરાતમાં કેટલા ટકા લોકો વર્તમાન સરકાર બદલવા માગે છે? સવાલના જવાબમાં 34 ટકા લોકોએ સરકારથી નારાજ હોવાનું અને બદલવા માગે છે તેમ કહ્યું. જ્યારે 40 ટકા લોકોએ સરકારથી નારાજ હોવાનું સ્વીકાર્યું પણ બદલવા ન માગતા હોવાનું કહ્યું. જ્યારે 26 ટકા લોકોએ સરકારથી નારાજ પણ નથી અને બદલવી પણ નથી તેમ જણાવ્યું હતું.


63 ટકા લોકોના મતે BJPની સરકાર બનશે


ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કોણ જીતશે? તેવો ABP C-વોટર સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલના જવાબમાં 63 ટકા લોકોએ ભાજપ, 9 ટકાએ કોંગ્રેસ તથા 19 ટકાએ AAP જીતશે એમ જણાવ્યું હતું. જ્યારે 2 ટકાએ અન્ય, 2 ટકાએ ત્રિશંકુ સરકાર તો 5 ટકા લોકો ખબર નથી એવો જવાબ આપ્યો હતો.



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.