દેશમાં કોરોનાના નોંધાયા 7 હજાર જેટલા કેસ, એક્ટિવ કેસની સંખ્યામાં પહોંચી 53 હજારને પાર!


  • Published By :
  • Published Date : 2023-04-28 14:52:41

દેશમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 7 હજાર 533 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. જ્યારે 44 લોકોના મોત કોરોનાને કારણે થયા છે. ગુરૂવારે દેશમાં કોરોનાની એક્ટિવ કેસની સંખ્યા 53 હજારને પાર પહોંચી છે. દેશમાં હાલ એક્ટિવ કેસ 53852 પર પહોંચી છે. દેશમાં હજી સુધી 4.49 કરોડ જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. દેશમાં કોરોનાને કારણે મરનારની સંખ્યા 5 લાખ 31 હજાર 468 પહોંચી ગઈ છે.

    

 

હજી સુધી આટલા લોકો થયા છે કોરોના સંક્રમિત!  

છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરૂવારે દેશમાં કોરોનાના 9 હજાર 335 કેસ નોંધાયા હતા જ્યારે શુક્રવારે 7 હજાર 533 કેસ સામે આવ્યા છે. ગુરૂવારે 26 લોકોના મોત થયા હતા જ્યારે શુક્રવારે 44 લોકોના મોત કોરોનાને કારણે થયા છે. રિક્વરી રેટ પણ સતત વધી રહી છે. રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ 98 ટકાની આસપાસ નોંધવામાં આવી છે. 4 કરોડ જેટલા લોકો કોરોનાની ઝપેટમાં હજી સુધી આવી ગયા છે.   


કોરોના કેસમાં જોવા મળ્યો ઘટાડો!

અઠવાડિયામાં નોંધાયેલા કોરોના કેસની વાત કરવામાં આવે તો 23 એપ્રિલ રવિવારે 6 હજાર 904 કોરોના કેસ નોંધાયા હતા, જ્યારે 16 લોકોના મોત થયા હતા. સોમવારે પણ કોરોના કેસ 6 હજાર 934 કેસ સામે આવ્યા હતા જ્યારે 24 લોકોના મોત થયા હતા. 25 એપ્રિલે 9 હજાર 629 દર્દી કોરોના સંક્રમિત નોંધાયા હતા જ્યારે 29 લોકોના મોત થયા હતા. 26 એપ્રિલ દ્વારા 9 હજાર 355 કેસ સામે આવ્યા હતા.        



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.