કેશોદમાં એકસાથે 150 જેટલા લોકોએ કર્યું ધર્મ પરિવર્તન


  • Published By :
  • Published Date : 2022-12-27 11:01:50

આજકાલ અનેક લોકો હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મને અપનાવી રહ્યા છે. ત્યારે કેશોદમાં એકસાથે 150થી વધુ લોકોએ બોદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે. એકસાથે 150 જેટલા લોકોએ એક સાથે ધર્મ પરિવર્તન કરી લેતા ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રસંગે બૌદ્ધ ધર્મના અનુયાયીઓની સાક્ષીએ બૌદ્ધ સાહિત્યને સાક્ષી રાખી હિંદુ ધર્મનો ત્યાગ કર્યો છે. 


તંત્રની પરવાનગી બાદ કર્યો ધર્મ પરિવર્તન 

હિંદુ ધર્મનો ત્યાગ કરી અનેક લોકો બોદ્ધ ધર્મનો સ્વીકાર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં અનેક લોકોએ બોદ્ધ ધર્મનો સ્વીકાર કરી લીધો છે. ત્યારે થોડા દિવસો પહેલા કેશોદમાં અંદાજીત 150 જેટલા લોકોએ હિંદુ ધર્મનો ત્યાગ કર્યો છે. મળતી માહિતી અનુસાર જે લોકોએ હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે. ધર્મ પરિવર્તન કરવા માટે તંત્રની મંજૂરી લીધી હતી. મંજૂરી લીધા બાદ બૌદ્ધ ધર્મ અંગીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના વિસ્તારમાંથી અનેક લોકો ઉપસ્થિત હતા. અશોક બૌદ્ધ વિહાર પોરબંદરના સાધુ અને અનુયાયીઓએ ધર્મ પરિવર્તન કરવા ઈચ્છિત પરિવારોને બૌદ્ધ ધર્મની દીક્ષા અપાવી હતી. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.