મુસ્લિમ દંપતીએ તિરુપતિ મંદિરને 1.02 કરોડનું દાન આપ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 18:17:14


દેશમાં એકતરફ ધાર્મિક વિદ્વેષ વધી રહ્યો છે. ત્યાં એક મુસ્લિમ દંપતીએ તિરુપતિમાં 1.02 કરોડનું દાન આપી ધાર્મિક સૌહાર્દનું ઉત્તમ દ્રષ્ટાંત રજૂ કર્યું છે. ઉદ્યોગપતિ અબ્દુલ ગની અને તેમની પત્ની નુબીના બાનોએ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ને ચેક સોંપ્યો હતો. આ દંપતિ  અગાઉ પણ  35 લાખનું ફ્રિજ દાન સ્વરૂપે આપી ચુક્યું છે. 


તિરુપતિ મંદિરને અવારનાર દાન કરી ચુક્યો છે પરિવાર


ચેન્નાઈના મુસ્લિમ દંપતીએ આંધ્ર પ્રદેશના તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વરના તિરુપતિ મંદિરમાં 1.02 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.  જો કે ઉદ્યોગપતિ અબ્દુલ ગની અને તેમની પત્ની સુબીના બાનો આ પહેલા પણ અનેક વખત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ને દાન આપી ચુક્યો છે. આ પહેલા સુબીના બાનો અને અબ્દુલ ગનીએ શાકભાજીના પરિવહન માટે મંદિરને 35 લાખ રૂપિયાની કિંમતનું રેફ્રિજરેટર ટ્રક દાનમાં આપ્યું હતું. અબ્દુલ ગનીએ વર્ષ 2020માં કોરોના રોગચાળા દરમિયાન મંદિર પરિસરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે ટ્રેક્ટર-માઉન્ટ સ્પ્રેયરનું પણ દાન કર્યું હતું.  


યાત્રિકોની સુવિધાઓ વધારવા કરાશે દાનનો ઉપયોગ


મુસ્લિમ પરિવાર પ્રથમ વખત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના (TTD) ઓફિસર એવી ધર્મા રેડ્ડીને મળ્યો હતો. જે બાદ ચેક તેમને સોંપવામાં આવ્યો હતો. અધિકારીઓએ અબ્દુલ ગની અને તેમના પરિવારના સભ્યોને મંદિરની પ્રસાદી આપી હતી.


તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ  ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું કે, 87 લાખ રૂપિયાનું દાન નવા બનેલા પદ્માવતી રેસ્ટ હાઉસના ફર્નિચર અને વાસણો માટે થશે, જેથી ત્યાંની સુવિધાઓમાં વધારો કરી શકાય. SV અન્ના પ્રસાદમ ટ્રસ્ટ માટે રૂ. 15 લાખના ડિમાન્ડ ડ્રાફ્ટનો પણ સમાવેશ થાય છે, જે દરરોજ મંદિરમાં આવતા હજારો ભક્તોને મફત ભોજન પૂરું પાડે છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે