ફ્રાન્સ સરકારનો મોટો નિર્ણય, શાળાઓમાં અબાયા નહીં પહેરી શકે મુસ્લિમ વિદ્યાર્થિનીઓ


  • Published By :
  • Published Date : 2023-08-28 15:42:15

ફ્રાન્સ સરકારે મહત્વનો નિર્ણય લેતા મુસ્લિમ વિદ્યાર્થિનીઓ દ્વારા પહેરવામાં આવતા અબાયા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ફ્રાન્સના શિક્ષણ મંત્રીએ સરકારના આ નિર્ણય અંગે જાહેરાત કરી હતી, તેમણે કહ્યું કે ફ્રાન્સની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી મુસ્લિમ વિદ્યાર્થિનીઓના અબાયા પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ફ્રાન્સમાં 4 સપ્ટેમ્બરથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે, ત્યારથી જ તે નિયમ અમલી બની જશે. ફ્રાન્સમાં અગાઉથી જ શાળાઓમાં અને સરકારી ભવનોમાં ધાર્મિક સંકેતો પર કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યો જ છે. તેમનું કહેવું છે કે આ સંકેત ધર્મનિરપેક્ષ કાનુનોનું ઉલ્લંઘન કરે છે. વર્ષ 2004થી જ શાળાઓમાં હેડસ્કાર્ફ કે હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 


શા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો?


ફ્રાન્સમાં કેટલાક લોકોનું માનવું છે કે અબાયા અને બુરખો એક જ છે, જો કે તે અલગ-અલગ છે. અબાયા એક ઢીલુ પરિધાન છે. જેનાથી શરીરને ખભાથી લઈને પગ સુધી ઢાંકી શકાય છે. બુરખો આખા શરીરને ઢાંકતું એક કપડું છે, જેમાં આંખોના ઉપર એક જાળીવાળો પડદો હોય છે. બંને પરિધાન મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવે છે, પરંતુ બંને અલગ છે.


શિક્ષણ મંત્રી ગેબ્રિયલ અટાલે સરકારના આ નિર્ણય અંગે વિસ્તારથી માહિતી જાણકારી આપી. તેમણે કહ્યું જ્યારે તમે શાળામાં પ્રવેશ કરો છો, ત્યારે તમે માત્ર વિદ્યાર્થીઓને જોઈને જ તેમના ધર્મની ઓળખ કરી શકવા ન જોઈએ. તેથી અમે નિર્ણય કર્યો છે કે શાળામાં હવે અબાયા પર પ્રતિબંધ લગાવવામાં આવે. છેલ્લા ઘણા મહિનાથી દેશમાં આ બાબત પર ચર્ચા ચાલી રહી હતી કે શું દેશની શાળાઓમાં યુવતીઓને અબાયા પહેરવું કેટલું યોગ્ય છે?



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?