આરોન ફિન્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સન્યાસ લેવાની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-02-07 12:23:48

9 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સીરિઝ યોજાવાની છે. નાગપુર ખાતે આ મેચ યોજાવાની છે. તે બધા વચ્ચે ઓસ્ટ્રેલિયાના ટી-20 કેપ્ટન આરોન ફિન્ચે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. આ પહેલા સપ્ટેમ્બરમાં તેમણે વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. હાલ ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે મેચ રમવા ભારત આવી છે. આ બધા વચ્ચે સંન્યાસની જાહેરાતે બધાને હેરાન કરી દીધા છે. પોતાના કેરિયરમાં તેમણે ઓવરઓલ 254 ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને રિપ્રેજેન્ટ કર્યું હતું. જેમાં 5 ટેસ્ટ મેચ, 146 વનડે અને 103 T20Iનો સમાવેશ થાય છે.  


નિવેદનમાં કહી આ વાત 

એરોન ફ્રીંચની કેપ્ટનશીપમાં જ ઓસ્ટેલિયન ટીમે વર્ષ 2021માં ટી-20 વર્લ્ડકપ પહેલીવાર પોતાના નામે કર્યો હતો. ફિંચે નિવેદન બહાર પાડી કહ્યું, મનેએ વાતનો અફસોસ છે કે હું 2024 ટી-20 વર્લ્ડકપ નહીં રમી શકું. આ સ્થિતિમાં નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય છે, જેનાથી ટીમ આગળની રણનીતિ પર કામ કરી શકશે. હું મારા પરિવાર, ટીમ, ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સનો આભાર માનું છું. 2021માં ટી-20 વર્લ્ડકપ જીતવો અને 2015માં વન ડે વર્લ્ડકપ જીતવો મારા કરિયરની સૌથી યાદગાર ક્ષણ છે.      




સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને અવકાશમાંથી પરત લાવવાનું મિશન નાસાએ ફરી એકવાર રદ કરી દીધું છે . કેમ કે રોકેટના ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મની હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી .

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લેવિટે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ભારત પર ટેરિફને લઇને કર્યા આકરા પ્રહાર. અમેરિકાએ તેના જ સહયોગી દેશોની સામે ટ્રેડ વોર શરુ કરી દીધું છે . તો જાણો ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપાર વિશે.

દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ. મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ૧૯૪૮થી જ હિંસક આંદોલનો થઈ રહ્યા છે , જાણો કેવી રીતે તેને પાકિસ્તાન સાથે જોડી દેવાયું અને હવે કેમ ત્યાં હિંસક આંદોલનો થઈ રહ્યા છે?