AAPના દહેગામના ઉમેદવાર યુવરાજસિંહ ભાજપ-કોંગ્રેસને પડી શકે છે ભારે


  • Published By :
  • Published Date : 2022-11-01 13:50:54

આમ આદમી પાર્ટીએ આજે પોતાની આઠમી ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી દીધી છે. ત્યારે આ લિસ્ટમાં એવા નામો પણ છે જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની ચિંતા વધારી શકે છે. દહેગામ ખાતે યુવરાજસિંહ જાડેજા, ભાવનગર પશ્ચિમમાં રાજુ સોલંકી અને માતર ખાતે મહિપતસિંહ ચૌહાણ ભાજપ કોંગ્રેસને માથાનો દુખાવો બની શકે છે. વિસ્તારથી સમજીએ દહેગામ વિધાનસભા ક્ષેત્રના યુવરાજસિંહ જાડેજા Yuvrajsinh Jadeja કેવી રીતે ભાજપ કોંગ્રેસની ચિંતા વધારી શકે છે અને શું છે દહેગામ વિધાનસભા ક્ષેત્રનું રાજકારણ....  


દહેગામથી યુવરાજસિંહ જાડેજા AAPના ઉમેદવાર 

આમ આદમી પાર્ટીએ દહેગામથી યુવરાજસિંહ જાડેજાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. યુવરાજસિંહ જાડેજા યુવાઓમાં ફેમસ નેતા છે. ગુજરાતના યુવાને તેમને ફોલો કરે છે અને ખાસ કરીને સ્પર્ધાત્મ પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ યુવરાજસિંહ જાડેજાને ફોલો કરતા હોય છે કારણ કે યુવરાજસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના ઘણા મુદ્દાઓ ઉઠાવ્યા છે. પરંતુ બીજી બાજુ એ વાત છે કે દહેગામથી યુવરાજસિંહ જાડેજાને ઉમેદવાર તો બનાવી દીધા પણ આમ આદમી પાર્ટીના ગ્રાઉન્ડ પર કામ કરતા કાર્યકરો એટલા સક્રિય છે કે નહીં તે ચર્ચાનો વિષય છે. કારણ કે નેતાઓની પાછળ એક આખી ટીમ હોય છે જે જનતાના કામ કરતી હોય ચે અને પાર્ટીની પાસે એક ગ્રાઉન્ડ પર કામ કરતી ટીમ હોય છે જે બુથ લેવલ પર કામ કરતી હોય છે. પરંતુ દહેગામ પાસે આમ આદમી પાર્ટી પાસે બુથ લેવલ પર કામ કરતા કાર્યકર્તાઓ મજબૂત હશે તો જ આપ તેમના ઉમેદવારોને જીતાવી શકશે.


દહેગામથી આ લોકો હોઈ શકે છે કોંગ્રેસ ભાજપના સંભવિત ઉમેદવારો 

2008ન સીમાંકન બાદ દહેગામને વિધાનસભા ક્ષેત્ર તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. કોંગ્રેસ અને ભાજપના સંભવિત ઉમેદવારોની વાત કરીએ તો દહેગામ બેઠક પર ભાજપ પોતાના હાલના દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને ફરીવાર ભાજપના ઉમેદવાર જાહેર કરી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસમાં દહેગામથી 2012ના કોંગ્રેસના ધારાસભ્ય કામીનીબા રાઠોડ કોંગ્રેસના ઉમેદવાર હોઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જો કે હજુ ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો નથી જાહેર કર્યા પરંતુ સંભાવનાઓ મુજબ આ નેતાઓ અથવા અન્ય નેતાઓ ભાજપ અને કોંગ્રેસ જાહેર કરી શકે છે. 


દહેગામની 2017ની ચૂંટણી અને રાજકીય સમિકરણો

ગુજરાતની 182 વિધાનસભામાંની એક બેઠક એટલે કે દહેગામ. આ બેઠક પર ભાજપના બલરાજસિંહ ચૌહાણે 2017ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. બલરાજસિંહ ચૌહાણને ગઈ ચૂંટણીમાં દહેગામમાંથી 74 હજાર 445 મત મળ્યા હતા. ભાજપનો વોટ શેર ગઈ ચૂંટણીમાં 50.88 ટકા હતો. જ્યારે કોંગ્રેસના કામિનિબા રાઠોડે ભાજપના બલરાજસિંહ ચૌહાણને ભારે ટક્કર આપી હતી. કોંગ્રેસને ગઈ વિધાનસભા ચૂંટણીમાં 63 હજાર 585 મત મળ્યા હતા જ્યારે વોટશેર 43.46 ટકા હતા. દહેગામ વિસ્તારના રાજકીય સમિકરણોમાં જોવા જઈએ તો આ વિધાનસભા સીટમાં ક્ષત્રિયો અને ઠાકોરોને નિર્ણયાક મત માનવામાં આવે છે કારણ કે તેમની સંખ્યા આ વિસ્તારમાં વધારે છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં આ સીટ કોંગ્રેસના હાથમાં ગઈ હતી જેમાં કામિનિબા રાઠોડે 61 હજાર 43 મત મેળવ્યા હતા. 


દહેગામ સીટ પર આ પૂર્વ મુખ્યમંત્રી બન્યા હતા ધારાસભ્ય 

દહેગામ વિધાનસભા સીટ એટલે આપણા પૂર્વ મુખ્યમંત્રી ઘનશ્યામભાઈ ઓઝાની સીટ. ગુજરાતના ચોથા મુખ્યમંત્રી ઘનશ્યામભાઈ ઓઝા વર્ષ 1972માં આ સીટ પરથી ધારાસભ્ય બન્યા હતા. ત્યાર બાદ મોટા નેતાની વાત કરીએ તો ગાભાજી ઠાકોર દહેગામ વિધાનસભા ક્ષેત્રથી ત્રણવાર ધારાસભ્ય બની ચૂક્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હાલના અધ્યક્ષ એટલે કે જગદીશ ઠાકોર વર્ષ 2002 અને વર્ષ 2007માં દહેગામ સીટ પરથી જ ધારાસભ્ય બન્યા હતા. 




અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.