AAP એકબાજુ ભેગી થાય, નીચેથી વિખેરાતી જાય! ખેડામાં સંગઠન વિખેરાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 16:37:48

અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે ઈસુદાને કહ્યું છે કે કેટલાય નવા નેતાઓ પાર્ટીમાં જોડાશે, પણ જે નેતાઓ પહેલેથી જ જોડાયા છે પણ ચૂંટણી આવતા જ કેજરીવાલ પર આરોપો લગાવીને પક્ષ છોડી દે છે તેમને કેવી રીતે સાચવશે!

ખેડાના હોદ્દેદારોએ કહ્યું અમને જય શ્રી રામ બોલતા રોકે છે!

 ખેડા જિલ્લાના આપના કાર્યકર્તાઓએ ગંભીર આક્ષેપો લગાવી પોતાના પદથી રાજીનામાં આપી દીધા છે . હોદ્દેદારોએ પાર્ટી પર આક્ષેપ લગાવતા કહ્યું છે કે ‘પાર્ટી હિન્દુ વિરોધી છે’ અને જય શ્રી રામ બોલવાની મનાઈ છે.ખેડા જિલ્લા પાંચુંભા સીસોદિયા અને દિલીપ ગઢવીએ આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો લગવતા કહ્યું છે કે આમ આદમી પાર્ટી હિન્દુ વિરોધી પાર્ટી છે ‘અમને જય શ્રી રામ બોલવા ની પણ મનાય છે’ દિલીપ ભાઈ ખેડા જિલ્લાના આપના પૂર્વ મહામંત્રીએ જણાવ્યુ હતું કે “ મને પેહલા લાગતું હતું આપનો એજન્ડા સારા દવાખાના , સ્કૂલો બનવાનો છે પણ ના એમનો એજનડા હિન્દુ વિરોધી છે’ તેમણે આક્ષેપ કરતાં કહ્યું કે, એમને જય શ્રી રામ બોલવાની પાર્ટીએ ના પડી હતી. દિલીપ ભાઈએ ગોપાલ ઇટાલિયાને ચાલેન્જ કરી કે ‘જો હિન્દુ વિરોધી ના હોવ તો 4 રાજ્યોમાં ભાષણ જય શ્રી રામથી શરૂ કરો’ પાંચુભાઈ સિસોદીઆએ ખુલાસો કર્યો કે પ્રભારી શિવ કુમારે જય શ્રી રામ બોલવાની ના પડી આટલે અમે અમારા પદથી રાજીનામાં આપ્યા છે


એક સાંધો અને તેર તૂટી જાય!

એક તરફ આમ આદમી પાર્ટી કહે છે કે સંગઠનના તમામ કાર્યકર્તા મહત્વના છે પાર્ટી માટે તેમનું સંગઠન ખૂબ મહત્વ નું છે. તેમના તમામ કાર્યકર્તા યોદ્ધા છે અને આજ સંગઠનથી તેઓ ભાજપને હરાવશે પરંતુ આ ચિત્ર ચૂંટણી પહેલાજ બદલાય રહ્યું છે ક્યાંક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવે અને નવા લોકો જોડાય છે. તો કેટલાક જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તા પાર્ટીથી નારાજ છે રાજીનામાં આપી રહ્યા છે અને રાજીનામાં આપતા-આપતા પાર્ટી પર ગંભીર આક્ષેપો લગવતા જાય છે તો શું આ યોદ્ધાઓ ચૂંટણી સુધી ટકશે?



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.