Sanjay Singh Arrest : ઠેર-ઠેર AAPના કાર્યકર્તાઓ કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન, અરવિંદ કેજરીવાલે કહ્યું - 2024 સુધી અનેક લોકોની ધરપકડ થશે


  • Published By :
  • Published Date : 2023-10-05 16:00:08

ગઈકાલે જ્યારે દિલ્હીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહને ત્યાં ઈડીના દરોડા પડ્યા ત્યારથી આ મુદ્દો સતત ચર્ચામાં છે. અનેક કલાકો સુધી દિલ્હી ખાતે આવેલા સંજય સિંહના ઘરે તપાસ કરવામાં આવી અને સાંજે તેમની ધરપકડ કરવામાં આવી. આ કાર્યવાહી બાદ રાજકારણ ગરમાયું છે. અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. ત્યારે સંજય સિંહની ધરપકડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ચૂંટણી આવી રહી છે અને 2024 સુધી અનેક લોકોની ધરપકડ કરી લેવાશે.

  

અલગ અલગ જગ્યાઓ પર આપના કાર્યકર્તાઓએ કર્યો હતો વિરોધ

દિલ્હીમાં દારૂના કથિત કૌભાંડમાં આમ આદમી પાર્ટીના અન્ય એક મોટા નેતા સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે. સંજય સિંહની ધરપકડ બાદ રાજધાની દિલ્હીમાં રાજકારણ ગરમાયં છે. સોશિયલ મીડિયા પર પણ આમ આદમી પાર્ટી તેમજ ભારતીય જનતા પાર્ટી એક બીજા પર નિશાન સાધી રહી છે.  આજે સંજય સિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સંજય સિંહની ધરપકડના વિરોધમાં દિલ્હી કાર્યાલય પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પ્રદર્શન કરી રહ્યા છે. આ ધરપકડનો વિરોધ ન માત્ર દિલ્હીમાં પરંતુ મુંબઈ અને પુણેમાં પણ AAP કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે..

સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સીને કર્યો સવાલ 

આપના સાંસદ સંજય સિંહની ધરપકડનો વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓનું ઘર્ષણ પોલીસ સાથે થયું હતું. પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતા. કાર્યકર્તાઓ સંજય સિંહની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે. મહત્વનું છે કે 4 ઓક્ટોબરના રોજ એવા સમાચાર સામે આવ્યા હતા કે ઈડી સુપ્રીમ કોર્ટને બતાવશે કે તે આમ આદમી પાર્ટીને દારૂના કૌભાંડમાં આરોપી બનાવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટે ઈડી અને સીબીઆઈને સવાલ કર્યો છે કે આ ઘોટાળામાં સીધો આમ આદમી પાર્ટીને ફાયદો થયો છે તો હજી સુધી એજન્સીએ પાર્ટીને આરોપી કેમ નથી બનાવ્યા? મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટમાં મનીષ સિસોદિયાની જમાનતની અરજી પર ચર્ચા થઈ રહી હતી.  



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.