ગોપાલ ઈટાલિયાની હકાલપટ્ટી કે પ્રમોશન, આમ આદમી પાર્ટીએ આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-01-05 18:15:21

આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયાને હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે.  ગોપાલ ઈટાલિયાની હકાલપટ્ટી થઈ કે પ્રમોશન તે અંગે પાર્ટીમાં અને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી છે. જો કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય મહાસચિવ (સંગઠન) અને રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકે ખુલાસો કરતા કહ્યું કે ગોપાલ ઈટાલિયાને રાષ્ટ્રિય રાજકારણમાં લાવવામાં આવ્યા છે.


ગોપાલ ઈટાલિયા મુદ્દે પાર્ટીની સ્પષ્ટતા


AAPના રાષ્ટ્રિય મહાસચિવ (સંગઠન) સંદીપ પાઠકે મીડીયા સાથેની મુલાકાતમાં પાર્ટીની ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. સંદીપ પાઠકે ગોપાલ ઈટાલિયા અંગેના સવાલનો જવાબ આપતા કહ્યું કે પાર્ટી રાષ્ટ્રીય ફલક પર ફેલાઈ રહી છે. પાર્ટીના કાર્યકરોની આશાઓ મુજબ થયેલ આ એક નિયમિત ફેરબદલ છે. ગોપાલ ઈટાાલિયાની ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે હલાકપટ્ટી નહીં પણ તેમને રાષ્ટ્રિય રાજનિતીમાં લાવવામાં આવ્યા છે અને તેમને મોટી ભૂમિકા આપવામાં આવી છે.


તમામ 9 રાજ્યોમાં ચૂંટણી લડશે


સંદીપ પાઠકો આમ આદમી પાર્ટીની ચૂંટણી રણનિતી અંગે જણાવ્યું કે પાર્ટી તમામ 9 રાજ્યોમાં ઉમેદવારો ઉતારશે. વર્ષ 2023માં યોજાનારી વિવિધ ચૂંટણી માટે પાર્ટી તેની સંભાવનાઓનું વિષ્લષણ કરી રહી છે. આ માટે કેટલાક રાજ્યોમાં પાર્ટી આંતરિક સર્વે પણ કરાવી રહી છે. એક મહિના બાદ તેની યોજનાઓ અંગે જાહેરાત કરશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.