જોર-શોરથી ગુજરાતમાં ચાલતો AAPનો ચૂંટણી પ્રચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 16:23:45

ગુજરાતમાં આમ આદમી પાર્ટી પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહી છે. ચૂંટણી નજીક આવતા આપના અનેક નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે યુવાઓને આકર્ષવા માટે આપ રાજ્યસભાના સાંસદ અને આપ ગુજરાતના સહપ્રભારી રાઘવ ચડ્ડા ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રાઘવ ચડ્ડાએ કહ્યું કે ગુજરાતમાં લોકો ભાજપથી નારાજ છે. લોકો આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. 

MP Raghav Chadha appointed AAP's Gujarat co-incharge for state polls |  India News – India TV


આપનો પ્રચાર કરી રહ્યા છે રાઘવ ચડ્ડા

ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ચૂંટણીમાં જંગ જામવાનો છે. કોઈ પણ પાર્ટી પ્રચારમાં કાચુ કાપવા નથી માંગતું. દરેક પાર્ટી પોતાના વરિષ્ઠ અને પ્રભાવશાળી નેતાઓને પ્રચાર માટે ઉતારી રહી છે. ત્યારે આપે પણ રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાને ચૂંટણી પ્રચાર માટે પસંદ કર્યા છે. રાઘવ ચડ્ડા હાલ ગુજરાતના પ્રવાસે છે. ઉપરાંત અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, ભગવંત માન પણ હાલ ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેમણે કહ્યું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે હું સાચા માર્ગે ચાલીને અને પ્રામાણિક્તાના માર્ગે ચાલીને મારી જવાબદારી નિભાવી શકું. ગુજરાતમાં 27 વર્ષના શાસન બાદ લોકો ભાજપથી કંટાળી ગયા છે. 


AAP aims for Gujarat after Punjab win, to kick off 'tiranga yatra' in April  - India News


ગુજરાત માંગે પરિવર્તન - રાઘવ ચડ્ડા

વધુમાં તેમણે કહ્યું હતું કે આજે દરેક ગુજરાતીના મનમાં ત્રણ વાત છે. પ્રથમ વસ્તુ છે પરિવર્તન, બીજુ છે પરિવર્તન અને ત્રીજી વસ્તુ પણ છે પરિવર્તન. કોંગ્રેસ પાર્ટી પરિવર્તન નથી આપી શકી. લોકો અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પાસે અપેક્ષા રાખી રહ્યા છે. દિલ્હીમાં પણ ગુજરાતની જેમ 15 વર્ષ સુધી એક જ પક્ષના સરકાર હતી. 15 વર્ષ પછી ચૂંટણી થઈ ત્યારે આમ આદમી પાર્ટી પહેલીવાર ચૂંટણી લડી હતી અને દિલ્હીની જનતાએ 15 વર્ષ જૂની સરકારને ફગાવી નાખી હતી. અરવિંદ કેજરીવાલની ગેરેંટીની વાત પર પ્રતિક્રિયા આપતા રાઘવ ચડ્ડાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલે ગુજરાતના યુવાનોને રોજગારની ગેરેંટી આપી છે. નોકરીઓ ન મળે ત્યાં સુધી દર મહિને 3000 રુપિયા બેરોજગારી ભથ્થું આપવાની ખાતરી આપી છે તે પૂરી કરશે. ઉપરાંત ગુજરાતના લોકોને પણ દિલ્હી અને પંજાબની જેમ મફતમાં વીજળી આપવામાં આવશે.        



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.