Modasa પહોંચશે AAPની Dandi Yatra2.0, TET-TAT ઉમેદવારોના સમર્થનમાં નિકળેલી યુવા અધિકાર યાત્રાને મળતો જન પ્રતિસાદ!


  • Published By :
  • Published Date : 2023-10-18 12:15:38

પાંચ દિવસ પહેલા દાંડીથી જ્ઞાન સહાયક યોજના નાબુદ કરવામાં આવે તે માટે આમ આદમી પાર્ટીએ યુવા અધિકાર યાત્રા નિકાળી હતી. કરાર આધારિત ભરતી નહીં પરંતુ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે. સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ ગયા છે. આંદોલન કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી આવી છે. કોંગ્રેસે પણ ઉમેદવારોના સમર્થનમાં આવી ધરણાનું આયોજન કર્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીએ દાંડી યાત્રા 2.0 નિકાળી છે.

    

દાંડી યાત્રા 2.0 આજે મોડાસા પહોંચશે 

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભાવિ શિક્ષકો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. આંદોલનો કરી સરકાર દ્વારા લાવવામાં આવેલા જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યા છે. સરકાર પોતાના વાત પર, પોતાના આ નિર્ણય પર મક્કમ છે તેવું લાગી રહ્યું છે. સરકાર તરફથી તો કોઈ વાત નથી સાંભળતું પરંતુ રાજકીય પક્ષના ઉમેદવારોને સહકાર, સમર્થન મળી રહ્યું છે. જ્ઞાન સહાયકને નાબુદ કરવામાં આવે તેવી માગ સાથે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે. શિક્ષણને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દાંડી યાત્રા 2.0નો આજે પાંચમો દિવસ છે. મોડાસા ખાતે આજે યાત્રા પહોંચવાની છે. 

આંદોલનનું શું આવશે પરિણામ? 

દાંડીથી નીકળેલી યુવા અધિકાર યાત્રામાં યુવરાજસિંહ, ચૈતર વસાવા ઉપરાંત હજારો ટેટ-ટાટ પાસ ઉમેદવારો છે. જ્યાં જ્યાંથી આ યાત્રા પસાર થઈ રહી છે ત્યાં આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ યાત્રા દરમિયાન યુવરાજસિંહ તેમજ ચૈતર વસાવાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મહત્વનું છે કે ઉમેદવારો પણ આ વખતે લડી લેવાના મૂડમાં છે જ્યારે સરકાર પણ પોતાની વાત પર મક્કમ છે. ત્યારે જોવું રહ્યું કે આ આંદોલનનું પરિણામ આવનાર સમયમાં શું આવે છે?         



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.