AAPના મુખ્યમંત્રીના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ કર્યું મતદાન


  • Published By :
  • Published Date : 2022-12-05 13:09:47

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 93 બેઠકો માટે આ મતદાન થઈ રહ્યું છે. અનેક દિગ્ગજ નેતાઓએ મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જેમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ સહિતના અનેક નેતાઓનો સમાવેશ થાય છે. ત્યારે આમ આદમી પાર્ટીએ જેને પોતાના ઉમેદવાર ચહેરો જાહેર કર્યો છે તેવા ઇસુદાન ગઢવી જ્યારે મત આપવા પહોંચ્યા હતા ત્યારે મોદી-મોદીના નારા લાગ્યા હતા.

 

ઈસુદાન ગઢવી સામે લાગ્યા મોદી-મોદીના નારા 

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. ત્યારે બીજા તબક્કા માટેનું મતદાન 5 ડિસેમ્બરે યોજાઈ હતી. આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકારણમાં પ્રથમ વખત ઝંપલાવી છે. આપે જોરશોરથી પ્રચાર કર્યો હતો. આપે ઈસુદાન ગઢવીને પોતાનો મુખ્યમંત્રીનો ચહેરો ઘોષિત કર્યો છે. પરંતુ જ્યારે ઈસુદાન ગઢવી મત આપવા પોલિંગ બુથ પર ગયા ત્યારે જય શ્રી રામ તેમજ મોદી-મોદીના નારા લાગ્યા હતા. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.