AAP સાંસદ સંજય સિંહ સામે અધ્યક્ષનું આકરૂ વલણ, સમગ્ર સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કર્યા


  • Published By :
  • Published Date : 2023-07-24 16:36:45

મણિપુરમાં હિસા અને મહિલાની નગ્ન પરેડ કરાવવાના મુદ્દે આજે સંસદના બંને ગૃહોમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. આજે પણ રાજ્ય સભામાં હંગામો થતા રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને આખા ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા બદલ સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


પીયૂષ ગોયલની ફરિયાદ પર થયા સસ્પેન્ડ


આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા બદલ સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યસભાના અધ્યક્ષે કહ્યું હતું કે સંજય સિંહે વારંવાર ના પાડવા છતાં ગૃહની કાર્યવાહી ખોરવી રહ્યા હતા. તેથી તેમને સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીયૂષ ગોયલની ફરિયાદ પર રાજ્યસભાના અધ્યક્ષે આ કાર્યવાહી કરી છે. સાંસદ પીયૂષ ગોયલે કહ્યું હતું કે સરકાર ચર્ચા માટે તૈયાર છે છતાં કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે સંજય સિંહને સસ્પેન્ડ કરવા પર કહ્યું હતું કે 'તે દુર્ભાગ્યપૂર્ણ છે. અમારી કાયદાકીય ટીમ મામલાની તપાસ કરશે. સંજય સિંહના સસ્પેન્શન વિરુદ્ધ વિરોધ પક્ષોના નેતાઓ રાજ્યસભાના અધ્યક્ષને મળશે. રાજ્યસભા અધ્યક્ષે એક વાગ્યે ગૃહના નેતાઓની બેઠક બોલાવી હતી.


AAPએ આપી આ પ્રતિક્રિયા


સંજય સિંહના રાજ્ય સભા સસ્પેન્શન પર AAP મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું જો ભાજપનું ચાલે તો સંજયને જેલમાં પણ નાખી દે. સંજય સિંહ સંસદમાં વિપક્ષનો બુલંદ અવાજ છે, તે સુત્રોચ્ચાર પર સમગ્ર વિપક્ષ એક થઈ જાય છે. આ જ કારણે   સંજય સિંહ વિપક્ષની આંખોમાં ખટકે છે. એટલા માટે તે સંપુર્ણ પ્રયાસ એવા કરે છે કે તેમનો અવાજ બંધ કરવામાં આવે.  પરંતુ આ યુક્તિઓ દ્વારા કે પછી, CBI, EDનો દુરુપયોગ થાય, પણ ભાજપ સરકારની વાપસી મુશ્કેલ છે. સત્યનો અવાજ બુલંદી ઉઠાવતા જો સંજયસિંહને સસ્પેન્ડ કરવામાં આવે તો પણ કોઈ દુ:ખ નથી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.