TET-TAT પાસ ઉમેદવારો માટે AAP MLA Chaitar Vasavaએ વિધાનસભામાં કહી આ વાત, સાંભળો...


  • Published By :
  • Published Date : 2024-02-21 14:14:39

ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે વાતની જાણ છે. અનેક વખત મુદ્દો ઉઠ્યો છે કે શિક્ષકોની ભરતી કરવામાં આવે. એવી અનેક શાળાઓ છે  જે એક જ શિક્ષક પર ચાલતી હોય છે. વિધાનસભામાં સરકાર દ્વારા આ અંગેનો આંકડો રજૂ કરવામાં આવ્યો છે. વિધાનસભામાં એવી પણ માહિતી આપવામાં આવી હતી કે કેટલી સરકારી શાળાઓ એક ઓરડામાં ચાલે છે વગેરે વગેરે... શિક્ષકોની ઘટ અંગેનો મુદ્દો અનેક વખત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં ઉઠાવ્યો છે. ત્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારોને લઈ ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી વાત ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી છે. 

ચૈતર વસાવાએ ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે કહી આ વાત!

ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ ટેટ ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે અલગ અલગ રીતે તેમણે આંદોલન કર્યું હતું. કોઈ વખત પતંગ પર લખીને ટેટ ટાટ પાસ  ઉમેદવારોએ વિરોધ કર્યો હતો તો કોઈ વખત નાટક કરીને સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારોના સમર્થનમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા આવ્યા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.