AAPના ધારાસભ્ય Chaitar Vasava વારંવાર કહી રહ્યા છે કે, જબ તક તોડેંગે નહિ તબ તક છોડેંગે નહિ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-12 10:40:55

ચૈતર વસાવા ઘણા સમયથી ચર્ચામાં છે. ચૈતર વસાવાની સાથે સાથે ભરૂચ લોકસભા સીટ પણ ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે. કોઈ વખત ચૈતર વસાવાના નિવેદનને કારણે આ બેઠક ચર્ચામાં આવે છે તો કોઈ વખત ભાજપના સાંસદ મનસુખ વસાવાને કારણે આ બેઠક ચર્ચામાં આવે છે. ચૈતર વસાવા જેલમાં ગયા ત્યારથી આ બેઠક વધારે ચર્ચામાં રહી છે. જેલમાં રહી ચૈતર વસાવા પોતાના સમર્થકો માટે સંદેશ મોકલતા હતા. ત્યારે હમણાં આપના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. અલગ અલગ જગ્યાઓની મૂલાકાત ચૈતર વસાવા લઈ રહ્યા છે અને કહી રહ્યા છે જબ તક તોડેંગે નહિ તબ તક છોડેંગે નહિ.!

ભરૂચ લોકસભા બેઠક ચૂંટણી પહેલા બની હોટ સીટ!

લોકસભા ચૂંટણીને લઈ તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે આપ તરફથી ચૈતર વસાવાને ઉતારવામાં આવશે. મતલબ ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવાર ચૈતર વસાવા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ ચૈતર વસાવા ચૂંટણીની તૈયરીઓમાં લાગી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ભરૂચ સીટ પરથી અને આમઆદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા ચૂંટણી લડવાના છે જેને લઈને ભરૂચ સીટ ગુજરાતમાં હોટ સીટ બની હોય તેવું લાગી રહ્યું છે.

જોવું રહ્યું કે જનતા કોને જીતની પાઘડી પહેરાવે છે...?

ચૂંટણી પહેલા જ આ સીટ રસપ્રદ બની છે કારણ કે આ સીટ પરથી હવે કોંગ્રેસમાંથી અને ભાજપમાંથી કોને ટિકિટ મળે છે એ જોવાનું રહ્યું. ભાજપમાંથી મનસુખ વસાવાને આ વખતે ટિકિટ નહીં મળે એવું પણ ચર્ચાઓ થઇ રહી છે. કોંગ્રેસમાંથી અહેમદ પટેલના પુત્ર અને પુત્રીએ પણ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. હવે જોવાનું એ રહ્યું કે ભરૂચ લોકસભા વિસ્તારની જનતા કોને માથે જીતની પાઘડી પહેરાવે છે. મહત્વનું છે કે ભરૂચ લોકસભા બેઠક આ વખતની હોટ સીટ બની રહી છે. 

 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.