AAP ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા ડેડિયાપાડા GEB કચેરી, કર્મચારીઓને આપી આ ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-01-03 11:52:01

વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને માત્ર પાંચ સીટ મળી છે. જો કે આપના ધારાસભ્યો પ્રજાના કામો કરવા માટે અતિઉત્સાહ બતાવી રહ્યા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમા અગ્રેસર છે. તેમના ડેડિયાપાડા મત વિસ્તારમાં અવારનવાર વિજકાપ તથા ખેડૂતોને પણ ખેતી માટે સમયસર વીજળી ન મળતા ચૈતર વસાવા મેદાને આવ્યા છે.  


GEBની ઓફિસ સામે ધરણા


આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે ડેડીયાપડા GEB કચેરી ખાતે પહોંચ્યા હતા. ચૈતર વસાવાએ વિદ્યુત બોર્ડવાળાને સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું, જો અમારા વિસ્તારમાં પૂછ્યા વગર ભરાયા તો બહાર નીકળી નહીં શકો. ચૈતર વસાવા ડેડિયાપાડા મત વિસ્તારના સરપંચો અને આગેવાનો, ખેડૂતોના વીજળીના પ્રશ્ન લઈ GEBની ઓફિસ પહોંચી તેમણે અધિકારીઓને પ્રજાના પ્રશ્નો વહેલી તકે હલ કરવા સૂચના આપી હતી.


ટ્રાઈબલ બજેટના કરોડો રૂપિયાનું શું થયું?


ચૈતર વસાવાએ કહ્યું ડેડીયાપડાની વીજ સમસ્યા અંગે કહ્યું કે  GEB કચેરીમાં પૂરતો સ્ટાફ પણ નથી. અહીંયા છેલ્લા 5 વર્ષથી ખેતીવાડી કનેક્શનને લગતી 1029 અરજીઓ પેંડીગ છે, ડેડીયાપડા ના અનેક ગામો છેલ્લા 12 દિવસથી લાઈટો નથી. ખેતરમાં જ્યારે TC બળી જાય ત્યારે ખેડૂતો 2 -3 મહિના સુધી ધક્કા ખાય છે તે છતાં એમને યોગ્ય જવાબ મળતો નથી. આદીવાસી વિસ્તારોના વિકાસ માટે સરકાર કરોડો રૂપિયા બજેટમાં ફાળવે છે, જો  કે તેનો ઉપયોગ ક્યા થાય છે તે અંગે પણ ચૈતર વસાવાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.