AAPના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી આપ્યું રાજીનામું, BJPમાં જોડાવાની અટકળો વચ્ચે કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2023-12-13 11:20:57

ગુજરાત વિધાનસભા માટે 182 બેઠકો માટે મતદાન યોજાયું હતું. 182 બેઠકોના ધારાસભ્ય હતા પરંતુ હવે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. માટે હવે સંખ્યા બળ 181 થઈ ગઈ છે અને સાથે જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પહેલા આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો હતા પરંતુ હવે ચાર ધારાસભ્યો થઈ ગયા છે. છેલ્લા એક વર્ષથી એવી અટકળો ચાલતી હતી કે ભૂપત ભાયાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. એવી અટકળો ચાલી રહી હતી પરંતુ આજે તેમણે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે.

Image

આમ આદમી પાર્ટીને મોટો ફટકો!

લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. એવી અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે સવારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપવા પહોંચ્યા હતા. શંકર ચૌધરીએ રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. ત્યારે ગમે ત્યારે તે કેસરિયો ધારણ કરી શકે છે તેવી અટકળો ચાલી રહી છે. રાજીનામું આપ્યા બાદ તેમણે મીડિયાકર્મીઓને કહ્યું કે હું ભાજપનો જ કાર્યકર્તા હતો. ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યા બાદ વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાશે અને તે લોકસભાની સાથે યોજાય તેવી સંભાવના છે. આમ આદમી પાર્ટીમાંથી પણ તેમણે રાજીનામું આપી દીધું છે તેવી માહિતી સામે આવી છે.    

Aam Aadmi Party MLA Bhupat Bhayani resigns, joins BJP આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાશે




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!