AAPના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી આપ્યું રાજીનામું, BJPમાં જોડાવાની અટકળો વચ્ચે કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2023-12-13 11:20:57

ગુજરાત વિધાનસભા માટે 182 બેઠકો માટે મતદાન યોજાયું હતું. 182 બેઠકોના ધારાસભ્ય હતા પરંતુ હવે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. માટે હવે સંખ્યા બળ 181 થઈ ગઈ છે અને સાથે જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પહેલા આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો હતા પરંતુ હવે ચાર ધારાસભ્યો થઈ ગયા છે. છેલ્લા એક વર્ષથી એવી અટકળો ચાલતી હતી કે ભૂપત ભાયાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. એવી અટકળો ચાલી રહી હતી પરંતુ આજે તેમણે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે.

Image

આમ આદમી પાર્ટીને મોટો ફટકો!

લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. એવી અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે સવારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપવા પહોંચ્યા હતા. શંકર ચૌધરીએ રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. ત્યારે ગમે ત્યારે તે કેસરિયો ધારણ કરી શકે છે તેવી અટકળો ચાલી રહી છે. રાજીનામું આપ્યા બાદ તેમણે મીડિયાકર્મીઓને કહ્યું કે હું ભાજપનો જ કાર્યકર્તા હતો. ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યા બાદ વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાશે અને તે લોકસભાની સાથે યોજાય તેવી સંભાવના છે. આમ આદમી પાર્ટીમાંથી પણ તેમણે રાજીનામું આપી દીધું છે તેવી માહિતી સામે આવી છે.    

Aam Aadmi Party MLA Bhupat Bhayani resigns, joins BJP આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાશે




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.