AAPમાં ભંગાણ: માંગરોળ-ઉમરપાડાના પાર્ટીનાં પ્રમુખ ગૌરાંગ વસાવા ભાજપમાં જોડાયા


  • Published By :
  • Published Date : 2022-11-07 16:23:43

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ તમામ રાજકીય પાર્ટીઓ તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. જો કે જેમ-જેમ ઉમેદવારોના નામ જાહેર થઈ રહ્યા તેમ અસંતુષ્ટ નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ અસંતુષ્ટોના બળવાનો ભોગ બની છે. તાજેતરમાં પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ માંગરોળ-ઉમરપાડા આમ આદમી પાર્ટીનાં પ્રમુખ ગૌરાંગ વસાવા ભાજપમાં જોડાઈ જતા આપને જબરદસ્ત ફટકો પડ્યો છે.


AAPથી નારાજ હતા ગૌરાંગ વસાવા


આમ આદમી પાર્ટીએ માંગરોળથી સ્નેહલ વસાવાને ઉમેદવાર બનાવતા ગૌરાંગ વસાવા નારાજ હતા. ગૌરાંગ વસાવાએ થોડીવાર પહેલાં જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. ગૌરાંગ વસાવાએ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો. AAPથી છેડો ફાંડ્યા બાદ ગૌરાંગ વસાવાએ આમ આદમી પાર્ટી પર પૈસા લઈને ટિકિટ અપાતા હોવાનો આરોપ લગાવ્યો હતો. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.