AAP નેતાઓનો દાવો - 'ED ગમે ત્યારે Arvind Kejriwalની કરી શકે છે ધરપકડ'! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-04 08:54:37

આમ આદમી પાર્ટીના નેતાઓ દાવો કરી રહ્યા છે કે આજે ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી શકે છે. 4 જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલને જેલ હવાલે કરવામાં આવશે તેવી પોસ્ટ આપના નેતાઓ દ્વારા ત્રીજી જાન્યુઆરીથી કરવામાં આવી રહી છે. પોસ્ટમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે ઈડી પહેલા કેજરીવાલના ઘરે રેડ કરશે અને પછી તેની ધરપકડ કરશે. આ બધા વચ્ચે આપના નેતાઓ કાર્યાલય ખાતે એકત્રિત થઈ રહ્યા છે તેવી માહિતી મળી છે. મહત્વનું છે કે દારૂ કૌભાંડ મામલે ઈડીએ તેમને સમન્સ મોકલ્યું હતું. આ મામલે હાજર થવા ઈડીએ કેજરીવાલને ત્રણ વખત સમન્સ પાઠવ્યું હતું પરંતુ તે ઈડી સમક્ષ પેશ થયા ન હતા. ત્યારે આપના નેતાઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આજે અરવિંદ કેજરીવાલની ધરપકડ ઈડી કરી શકે છે.     

ઈડીએ અનેક વખત અરવિંદ કેજરીવાલને પાઠવ્યા છે સમન્સ 

દિલ્હી લિકર પોલિસી કેસ મામલે અરવિંદ કેજરીવાલને ઈડીએ ત્રણ વખત સમન્સ પાઠવ્યું હતું. પૂછપરછ માટે ઈડીએ ત્રણ વખત બોલાવ્યા પરંતુ તે એક પણ વખત હાજર થયા ન હતા. ગઈકાલે હાજર થવાની તારીખ હતી પરંતુ તે ઈડી સમક્ષ જવાબ આપવા રજૂ ન થયા હતા. એવી વાત પણ કહેવામાં આવી કે અરવિંદ કેજરીવાલ ચૂંટણીને લઈ તૈયારીઓમાં વ્યસ્ત છે. મહત્વનું છે કે ઈડીએ તેમને 2 નવેમ્બરે, 21 ડિસેમ્બરે હાજર થવા માટે કહ્યું હતું. બંને સમન્સને તેમણે ગેરકાયદેસર ગણાવી હતી તેમજ તે રાજકીય રીતે પ્રેરિત છે તેવી વાત કહી હતી અને ઈડી સમક્ષ હાજર થયા ન હતા. મહત્વનું છે કે આ પહેલીવાર નથી જ્યારે આપ દ્વારા ધરપકડનો દાવો કરવામાં આવ્યો હોય. આની પહેલા પણ આવો દાવો કરવામાં આવ્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.