આપ નેતા મનોજ સોરઠીયા પર હુમલો, રાજનીતિ ગરમાઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-31 12:24:36

રાજ્યમાં વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓ પર હુમલા પણ વધી રહ્યા છે. સુરતમાં આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર જીવલેણ હુમલો થયો હતો. મનોજ સોરઠિયા સુરતના સરથાણા સ્થિત સિમાડાનાકા ખાતે ગણેશ પંડાલનું આયોજન જોવા ગયા હતા. આ સમયે કેટલાક તોફાની તત્વો મનોજ સોરઠિયા પર ધસી આવ્યા હતા અને માથા પર લાકડીથી ફટકા માર્યા હતા. મનોજ સોરઠિયાને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 


હુમલા પાછળ કોનો હાથ?


આમ આદમી પાર્ટીએ આ હુમલા પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કડક પગલા લેવા અપીલ કરી છે. આમ આદમી પાર્ટીના નેતા કૈલાશભાઈએ ભાજપ પર નિશાન સાધી ગૃહમંત્રીના રાજીનામાંની માગ કરી છે.


પ્રભારી સંદીપ પાઠક અને સાંસદ રાઘવ ચઢ્ઢા આજે પહોંચશે સુરત 


આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ડો. સંદીપ પાઠક અને આપ સાંસદ રાઘવ ચઢ્ઢા આજે બપોરે સુરત પહોંચશે. આપનાં આ અગ્રણી નેતા મનોજ સોરઠીયાના ખબરઅંતર પુછવા સુરતની સ્લીમેર હોસ્પિટલમાં તેમની સાથે મુલાકાત કરશે.




દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.