આપ નેતા મનોજ સોરઠીયા પર હુમલો, રાજનીતિ ગરમાઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-31 12:24:36

રાજ્યમાં વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓ પર હુમલા પણ વધી રહ્યા છે. સુરતમાં આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર જીવલેણ હુમલો થયો હતો. મનોજ સોરઠિયા સુરતના સરથાણા સ્થિત સિમાડાનાકા ખાતે ગણેશ પંડાલનું આયોજન જોવા ગયા હતા. આ સમયે કેટલાક તોફાની તત્વો મનોજ સોરઠિયા પર ધસી આવ્યા હતા અને માથા પર લાકડીથી ફટકા માર્યા હતા. મનોજ સોરઠિયાને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 


હુમલા પાછળ કોનો હાથ?


આમ આદમી પાર્ટીએ આ હુમલા પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કડક પગલા લેવા અપીલ કરી છે. આમ આદમી પાર્ટીના નેતા કૈલાશભાઈએ ભાજપ પર નિશાન સાધી ગૃહમંત્રીના રાજીનામાંની માગ કરી છે.


પ્રભારી સંદીપ પાઠક અને સાંસદ રાઘવ ચઢ્ઢા આજે પહોંચશે સુરત 


આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ડો. સંદીપ પાઠક અને આપ સાંસદ રાઘવ ચઢ્ઢા આજે બપોરે સુરત પહોંચશે. આપનાં આ અગ્રણી નેતા મનોજ સોરઠીયાના ખબરઅંતર પુછવા સુરતની સ્લીમેર હોસ્પિટલમાં તેમની સાથે મુલાકાત કરશે.




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.