Bhupat Bhayani બાદ AAPનાં નેતા Bharat Rathvaએ AAPને અલવિદા કહ્યું, Kuber Dindorએ ભાજપમાં તેમનું કર્યું સ્વાગત


  • Published By :
  • Published Date : 2023-12-15 11:40:14

આમ આદમી પાર્ટી છેલ્લા બે દિવસથી ચર્ચામાં છે. બે દિવસ પહેલા વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું. એવી અટકળો ચાલી રહી હતી કે તે ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે તેવી વાતો ચાલી રહી હતી પરંતુ આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ભરત રાઠવાએ આપનો છેડો ફાડીને કેસરિયો ધારણ કરી લીધો છે. આપમાંથી રાજીનામું આપી કુબેર ડિંડોરની હાજરીમાં ભરત રાઠવા ભાજપમાં જોડાયા.     

કુબેર ડિંડોરની હાજરીમાં ભરત રાઠવાએ કેસરિયો ધારણ કર્યો 

ભૂપત ભાયાણીની ચર્ચાઓ ચાલી રહી હતી કે તે ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી શકે છે. પોતાના ધારાસભ્ય પદ ઉપરથી તેમણે રાજીનામું આપી દીધું. એક તરફ ચર્ચાઓ ચાલી રહી હતી ભાયાણી ભાજપમાં જોડાશે પરંતુ હાલોલ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરત રાઠવા તો તેમનાથી પણ ઝડ્પી નીકળ્યા! આપમાંથી રાજીનામું આપી તે ભાજપમાં જોડાઈ ગયા. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે તેમનું ભાજપમાં સ્વાગત કર્યું.  

ભૂપત ભાયાણીએ પદ ઉપરથી આપ્યું હતું રાજીનામું

લોકસભા ચૂંટણી પહેલા આપમાં ભંગાણ થઈ રહ્યું છે. એક બાદ એક નેતાઓ આપને અલવિદા કહી રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં પાંચ ધારાસભ્યો આપના હતા પરંતુ ભૂપત ભાયાણીએ આપમાંથી રાજીનામું આપ્યું. તે બાદ ભરત રાઠવાએ રાજીનામું આપી દીધું. રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે.  ગુજરાત સરકારના  કેબીનેટ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે ઘોઘંબાના ઝોઝ મુકામે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભરત રાઠવાએ 2022ની હાલોલ વિધાનસભા બેઠક પર 23800 મત મેળવ્યા હતા.    

ઉમેદવાર પસંદ કરવામાં અમે થાપ ખઈ ગયા - આપ

આપને અલવિદા કહેનાર ભૂપત ભયણીની વાત કરીએ તો ભૂપતભાઈએ તો ધારાસભ્ય બન્યાના એક મહિનાની અંદર જ એંધાણ આપી દીધા હતા કે એ ભાજપમાં જવા માંગે છે. પછી 13 ડિસેમ્બરે તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું. ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડિયા સામે 7 હજાર 63મતે ચૂંટણી જીતી હતી. ભૂપત ભાયાણી બે વર્ષ અગાઉ ભાજપ છોડી આપમાં આવ્યા હતા. પછી રાજીનામું આપતા એમને યાદ આવ્યું કે એમણે ખોટી પાર્ટી પસંદ કરી છે તો આપને સમજાયું કે ઉમેદવાર પસંદ કરવામાં તે થાપ ખાઈ ગયા.  




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!