AAP નેતા અલ્પેશ કથિરીયા સુરતની વરાછા અને ધાર્મિક માલવિયાએ ઓલપાડ સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું


  • Published By :
  • Published Date : 2022-11-07 12:21:03

ગુજરાત વિધાનસભાની ચૂંટણી  જાહેર થઈ ગઈ છે ત્યારે ત્યારે આમ આદમી પાર્ટી પણ તમામ મોરચે કોંગ્રેસ અને ભાજને ટક્કર આપી રહી છે. આમ આદમી પાર્ટી  આજે વધુ એક ઉમેદવાર લીસ્ટ જાહેર કર્યું હતું .આ સાથે જ આમ આદમી પાર્ટીનું 11મું ઉમેદવાર લીસ્ટ જાહેર કર્યું હતું. આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરીયા સાથે સુરતમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 139 ઉમેદવાર જાહેર કર્યા છે. 


અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ક્યાંથી ચૂંટણી લડશે ?


આપના 12 ઉમેદવારોમાં સૌથી જાણીતા ચહેરા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા છે. પાસના આ બંને પૂર્વ નેતાઓએ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ તેઓ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તે અંગે અટકળો ચાલતી રહેતી હતી. જો કે આજે સ્પષ્ટ થઈ ગયું કે આ બંને નેતાઓ સુરતની બે વિધાનસભાની સીટ પરથી  ચૂંટણી લડશે. અલ્પેશ કથિરીયા વરાછા જ્યારે ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.