AAPએ ગુજરાત સરકાર પર કર્યા પ્રહાર - ટ્વિટ કરી લખ્યું 'ગુજરાતમાં છે ભ્રષ્ટાચારી ભાજપની સેટિંગની સરકાર'


  • Published By :
  • Published Date : 2023-08-02 16:40:57

ગુજરાતમાં એકબાદ એક અલગ અલગ કૌભાંડો ઉજાગર થઈ રહ્યા છે. પરીક્ષામાં પણ કૌભાંડો થતા હોવાની વાત અનેક વખત કરવામાં આવતી હોય છે. ત્યારે હાલ જે કૌભાંડની ચર્ચા થઈ રહી છે તે ઉર્જા વિભાગની ભરતીમાં થઈ હોવાની ગેરરીતિ અંગે થઈ રહી છે. આ મામલે વધુ 9 લોકોની ધરપકડ કરાઈ છે. મહત્વનું છે કે ઉર્જા કૌભાંડમાં હજી સુધી 15 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે હજી તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીએ સરકાર પર પ્રહાર કર્યા છે.

ઉર્જા ભરતી કૌભાંડમાં થઈ છે અનેક લોકોની ધરપકડ  

એક તરફ બેરોજગાર લોકો નોકરી માટે વલખા મારી રહ્યા છે. તો બીજી તરફ પૈસા આપી અનેક લોકો નોકરી મેળવી રહ્યા છે. અનેક કૌભાંડો સામે આવી રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ યુવરાજસિંહે કર્યો હતો. ડમી કાંડ મામલે તપાસ કરવામાં આવી રહી છે. જેલ ગયા તે પહેલા યુવરાજસિંહ દ્વારા ઉર્જા ભરતીમાં થતા કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉર્જા ભરતીમાં થઈ રહેલી તપાસમાં 15 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ આ મામલે સરકાર પર પ્રહાર કર્યા છે.


આપે સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ!

આમ આદમી પાર્ટીએ એક ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે પૈસા આપો, નોકરી લો... મહેનત કરવાથી હવે નહીં થાય બેડો પાર, કેમ કે ગુજરાતમાં છે ભ્રષ્ટાચારી ભાજપની સેટિંગની સરકાર. એ વાતને પણ નકારી ન શકાય કે એક તરફ નોકરી માટે યુવાનો વલખા મારી રહ્યા છે તો બીજી તરફ પૈસાના દમથી નોકરી ખરીદી અનેક યુવાનો એસોઆરામની જીંદગી જીવી રહ્યા છે. TET-TATના ઉમેદવારોની પણ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ છે. કરાર આધારીત ભરતી બંધ કરી શિક્ષકોના ભવિષ્ય સાથે ચેડા ન કરવામાં આવે તેવી તેમની સરકાર પાસેથી આશા છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!