BJP પર AAPનો પલટવાર, કેતન ઈનામદારના રાજીનામા પર બોલ્યા Isudan Gadhvi, કહ્યું 156 ધારાસભ્ય સાથે સરકાર બનાવ્યા છતાં... સાંભળો


  • Published By :
  • Published Date : 2024-03-19 14:13:32

હજી સુધી એવા સમાચાર સામે આવતા હતા કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પક્ષ પલટો કરી રહ્યા છે. જે પાર્ટીમાં ઘણા વર્ષો સુધી રહ્યા હોય તેના વિશે બીજા પક્ષમાં જોડાયા પછી સ્ટેટમેન્ટ ચેન્જ થઈ જાય છે. જે પાર્ટીની નીતિ પર પહેલા સવાલ ઉઠાવ્યા હતા તે જ  પાર્ટીમાં તે લોકો જોડાઈ રહ્યા છે. ત્યારે આજે સવારથી એક સમાચાર ચર્ચામાં છે કે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે રાજીનામા બાદ ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે.

ઈસુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા!

ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપ આવી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા પછી 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને આજે ભાજપના ધારાસભ્યએ રાજીનામું વિધાનસભા અધ્યક્ષને ઈમેલ કર્યું છે. સામાન્ય રીતે ભાજપમાં આવી ઘટનાઓ જોવા નથી મળતી પરંતુ આ વખતે જોવા મળી રહી છે. ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપી દીધું છે. ત્યારે આ મામલે ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે ભાજપ પર પ્રહાર કર્યા છે. 


કેતન ઈનામદારે સાંભળ્યો અંતરનો અવાજ!

ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આજે ભાજપના ધારાસભ્યની અંતરાત્મા જાગી ગઈ. સાવલીના ધારાસભ્યએ રાજીનામું આપ્યું અને તેના પાછળનું કારણ જણાવ્યું કે બહારથી આવતા લોકોને પાર્ટીના મૂળભૂત કાર્યકર્તાઓ કરતા વધુ માન આપવામાં આવે છે. 156 ધારાસભ્ય સાથે સરકાર બનાવ્યા છતાં પણ ભાજપે વિપક્ષને ખતમ કરવાની રાજનીતિ અપનાવી તે હવે ભાજપને જ ખતમ કરી રહી છે. મહત્વનું છે કે જ્યારે બીજા પક્ષ વાળા પોતાના પક્ષને છોડે છે ત્યારે અંતરાત્મા વિશે કહેતા હોય છે ત્યારે ભાજપના ધારાસભ્યએ પણ અંતરાત્માનો અવાજ સાંભળી આ પગલું લીધું. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.