BJP પર AAPનો પલટવાર, કેતન ઈનામદારના રાજીનામા પર બોલ્યા Isudan Gadhvi, કહ્યું 156 ધારાસભ્ય સાથે સરકાર બનાવ્યા છતાં... સાંભળો


  • Published By :
  • Published Date : 2024-03-19 14:13:32

હજી સુધી એવા સમાચાર સામે આવતા હતા કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પક્ષ પલટો કરી રહ્યા છે. જે પાર્ટીમાં ઘણા વર્ષો સુધી રહ્યા હોય તેના વિશે બીજા પક્ષમાં જોડાયા પછી સ્ટેટમેન્ટ ચેન્જ થઈ જાય છે. જે પાર્ટીની નીતિ પર પહેલા સવાલ ઉઠાવ્યા હતા તે જ  પાર્ટીમાં તે લોકો જોડાઈ રહ્યા છે. ત્યારે આજે સવારથી એક સમાચાર ચર્ચામાં છે કે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે રાજીનામા બાદ ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે.

ઈસુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા!

ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપ આવી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા પછી 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને આજે ભાજપના ધારાસભ્યએ રાજીનામું વિધાનસભા અધ્યક્ષને ઈમેલ કર્યું છે. સામાન્ય રીતે ભાજપમાં આવી ઘટનાઓ જોવા નથી મળતી પરંતુ આ વખતે જોવા મળી રહી છે. ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપી દીધું છે. ત્યારે આ મામલે ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે ભાજપ પર પ્રહાર કર્યા છે. 


કેતન ઈનામદારે સાંભળ્યો અંતરનો અવાજ!

ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આજે ભાજપના ધારાસભ્યની અંતરાત્મા જાગી ગઈ. સાવલીના ધારાસભ્યએ રાજીનામું આપ્યું અને તેના પાછળનું કારણ જણાવ્યું કે બહારથી આવતા લોકોને પાર્ટીના મૂળભૂત કાર્યકર્તાઓ કરતા વધુ માન આપવામાં આવે છે. 156 ધારાસભ્ય સાથે સરકાર બનાવ્યા છતાં પણ ભાજપે વિપક્ષને ખતમ કરવાની રાજનીતિ અપનાવી તે હવે ભાજપને જ ખતમ કરી રહી છે. મહત્વનું છે કે જ્યારે બીજા પક્ષ વાળા પોતાના પક્ષને છોડે છે ત્યારે અંતરાત્મા વિશે કહેતા હોય છે ત્યારે ભાજપના ધારાસભ્યએ પણ અંતરાત્માનો અવાજ સાંભળી આ પગલું લીધું. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.

એક સમય ભારતીય જનતા પાર્ટીમાં એવો હતો કે સંજય જોશીને તમે હેપ્પી બર્થડે કહો તો તમને ટિકિટ મળતી . પરંતુ હવે સંજય જોશીને હેપી બર્થડે કહેવાથી તમારી હકાલપટ્ટી થાય છે. હજી પણ સંગઠનમાં સંજય જોશીનું નામ લેવું આટલું ખતરનાક ગણાય છે . કેમ કે થોડાક સમય પેહલા થયું એવું કે , જિલ્લો બોટાદ તેનો તાલુકો ગઢડા . ગઢડા તાલુકા ભાજપ પ્રમુખે સંજય જોશીને સોશ્યિલ મીડિયા પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ હવે તેમની પર રાજીનામુ આપી દેવાનું દબાણ ઉભું થયું છે. થોડાક સમય પેહલા સંજય જોશી ગુજરાત આવ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .

ડોનાલ્ડ ટ્રમ્પએ રેસિપ્રોકલ ટેરીફના અમલીકરણ માટે ૯૦ દિવસનો પ્રતિબંધ મુક્યો છે. તો આ તરફ ઈરાને "પરમાણુ" હથિયારોનો ત્યાગ કરવાની તૈયારી બતાવી છે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેંગસેથ પનામા કેનાલની મુલાકાતે ગયા હતા અને તેમણે પનામા કેનાલને ફરી વખત પાછું લેવાની વાત કરી છે. બાંગલાદેશના પીએમ મોહમ્મદ યુનુસ જયારે થોડાક દિવસ પેહલા ચાઇનાની મુલાકાતે ગયા ત્યાં તેમણે ઉત્તર-પૂર્વીય ભારત માટે ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું . હવે ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.