Chaitar Vasava પર થયેલા કેસ મુદ્દે AAPએ કરી પ્રેસ કોન્ફરન્સ, Isudan Gadhviએ કેસને લઈ કહી આ વાત,સાંભળો


  • Published By :
  • Published Date : 2023-11-04 16:53:02

ગઈકાલથી સૌથી વધારે ચર્ચામાં જો કોઈ વિષય રહ્યો હોય તો તે છે ચૈતર વસાવા વિરૂદ્ધ થયેલો કેસ.. તે આખી ઘટના શું છે તે આપણે જાણીએ છીએ. ફોરેસ્ટ વિભાગના અધિકારીને માર માર્યો હોય તેવા આરોપ તેમના પર લગાવવામાં આવ્યો છે. પોલીસે તેમની પત્નીઓની ધરપકડ કરી લીધી છે. ફોરેસ્ટ વિભાગના કર્મચારીની ફરિયાદના આધારે ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે આમ આદમી પાર્ટાના નેતાઓ આક્રામક દેખાયા હતા. આપે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું તેમાં ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે ભાજપની આદિવાસી વિરોધી માનસિકતા છે. ભાજપે હંમેશા આદિવાસીઓનું અપમાન કર્યું છે. ચૈતર વસાવા આદિવાસી સમાજના આઈકોન છે. આદિવાસી સમાજ વિરૂદ્ધ ભાજપ ષડયંત્ર રચે છે.

ધારાસભ્ય ચૈતર વસાવાની વધી શકે છે મુશ્કેલી   

આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયા, સંજયસિંહ સહિતના નેતાઓ જેલવાસ ભોગવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલને પણ તપાસ માટેનું સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આપને ડર હતો તો અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવશે. આ બધા વચ્ચે ગુજરાત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે. તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આજે ચૈતર વસાવા મુદ્દે ઈસુદાન ગઢવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે.

આદિવાસી સમાજ વિરૂદ્ધ ભાજપ ષડયંત્ર રચે છે - ઈસુદાન ગઢવી  

આમ આદમી પાર્ટીના ધારાસભ્યના સમર્થનમાં ડેડિયાપાડામાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. બંધનું એલાન કરવામાં આવ્યું હતું તે બધા વચ્ચે મનસુખ વસાવાએ બંધ અંગે નિવેદન આપ્યું છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈસુદાન ગઢવી આ મામલે આક્રામક દેખાયા હતા. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપની આદિવાસી વિરોધી માનસિકતા છે. ભાજપે હંમેશા આદિવાસીઓનું અપમાન કર્યું છે. ચૈતર વસાવા આદિવાસી સમાજના આઈકોન છે. આદિવાસી સમાજ વિરૂદ્ધ ભાજપ ષડયંત્ર રચે છે. વધુમાં તેમણે કહ્યું કે તમે સંકલ્પ લો ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાનું..



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!