Bharat Jodo Nyay Yatraમાં જોવા મળશે AAP-Congress ગઠબંધન! Shaktisinh Gohilએ Isudan Gadhviને કર્યો ફોન અને કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-03-05 18:07:50

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગુજરાતની 26 બેઠકો માટે ગઠબંધન થયું છે. 24 બેઠકો પર કોંગ્રેસ લડશે અને બે બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લડશે.7 માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશવાની છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે ગઠબંધન થયું છે માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર, નેતાઓ, કાર્યકરો સામેલ થશે આ યાત્રામાં ત્યારે એવી માહિતી સામે આવી છે કે આમ આદમી પાર્ટીને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થવા માટે કોંગ્રેસ તરફથી આમંત્રણ મળ્યું છે. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી.


રાહુલ ગાંધીની યાત્રા પહેલા કોંગ્રેસમાં સર્જાયું ભંગાણ! 

લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે. ગુજરાતમાંથી પણ આ યાત્રા પસાર થવાની છે. રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રવેશે તે પહેલા કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. અર્જુન ડેરે પણ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં આમ આદમી પાર્ટી પણ જોડાશે. શક્તિસિંહ ગોહિલે ઈસુદાન ગઢવી સાથે ફોન પર વાતચીત કરી હતી અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. 


આમ આદમી પાર્ટીના નેતાઓ જોડાશે ભારત જોડો ન્યાય યાત્રામાં!

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સહીત આગેવાનો 7 તારીખે યાત્રામાં જોડાશે. થોડા દિવસની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી તરફથી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે અને આ અંગેની જાહેરાત કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે. કોંગ્રેસ 24 લોકસભા બેઠક પર ઉમેદવાર ઉતારશે જ્યારે ભરૂચ અને ભાવનગર લોકસભા સીટ માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. ભરૂચ લોકસભા સીટ પર આપે ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી દીધી છે.           



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.