AAP - Congressનું ગઠબંધન જાહેર, સમજો આખી ગણતરી


  • Published By :
  • Published Date : 2024-02-24 12:25:44

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં બે સીટો પર ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. એક છે ભરૂચ લોકસભા સીટ અને બીજી છે ભાવનગર લોકસભા સીટ. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ભરૂચના ઉમેદવાર છે ચૈતર વસાવા અને ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર છે ઉમેશ મકવાણા. ગુજરાતની બે સીટો સિવાય કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરશે. 26 બેઠકોમાંથી 2 બેઠકો પર આપ ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી લડશે.

  


પ્રેસ કોન્ફરન્સમાં શું જાહેરાત કરાઈ? 

કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ગઠબંધન અંગેની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી છે. સીટ શેરિંગને લઈ ડીલ બંને પાર્ટી વચ્ચે થઈ ગઈ છે. દિલ્હીમાં બંને પાર્ટી દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં આપ તરફથી આતિશી.સંદીપ પાઠક તેમજ સૌરભ ભરદ્વાજ હતા તો કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાબરિયા અને અરવિંદર સિંહ લવલી હતા. પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરવામાં આવી કે દિલ્હીમાં ચાર સીટો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે જ્યારે 3 સીટો પર કોંગ્રેસ લડશે. ચંદીગઢ તેમજ ગોવાની બંને સીટો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે.  હરિયાણામાં 10 લોકસભા સીટો છે જેમાંથી 9 સીટો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે જ્યારે આમ આદમી પાર્ટી કુરૂક્ષેત્ર પર ચૂંટણી લડશે. 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.