ચાલતા આંદોલનો વચ્ચે આપે ભાજપ પ્રહાર કર્યા છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 16:10:11

2022 વિધાનસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. આ વખતે ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, કોંગ્રેસ સિવાય પહેલી વખત ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. ભાજપ અને આપ વચ્ચે સતત આક્ષેપ પ્રતિઆક્ષેપ ચાલી રહ્યો છે. ત્યારે ફરી એક વખત ગોપાલ ઈટાલીયાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે.

આંદોલનનો લાભ ઉઠાવતી રાજકીય પાર્ટી

ચૂંટણી નજીક આવતા સરકાર પ્રેશરમાં આવી રહી છે. પડતર માગણીઓ સરકાર સુધી પહોંચાડવાનો આ સુવર્ણ સમય લોકો સમજી રહ્યા છે. માગણીઓને લઈ અનેક લોકો વિરોધ પ્રદર્શન કરી સરકારનો ઘેરાવ કરી રહ્યા છે. આરોગ્ય કર્મચારી, ખેડૂત, ભૂતપૂર્વ સૈનિકો પોતાની માગણીને લઈ સરકાર વિરૂદ્ધ બાયો ચડાવી દીધી છે. પોલીસ ગ્રેડ પેનો મુદ્દો માંડ શાંત પડ્યો છે ત્યારે આરોગ્ય કર્મચારીઓ, ખેડૂતો તેમજ માજી સૈનિકો ધરણા કરી રહ્યા છે. આંદોલન વધતા આનો લાભ રાજકીય પાર્ટી લઈ રહી છે.

આપે આપી પ્રતીક્રિયા

વધતા આંદોલનો વચ્ચે પોતાની મતબેંકને બનાવા આપ પ્રયાસ કરી રહી છે. ધરણા કરી રહેલા લોકોની સાથે આપ પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી પોતાની રાજનીતિ કરી રહી છે. ચાલતા આંદોલનો વચ્ચે ગોપાલ ઈટાલીઆએ નિવેદન આપ્યું છે કે જનતાને સુવિધા આપવાની વાત આવે, પોલીસ ગ્રેડપેની વાત આવે, સૈન્યના ભૂતપૂર્વ જવાનોને એમના અધિકાર આપવાની વાત આવે ત્યારે સરકાર એમ કહે છે કે અમારી પાસે રૂપિયા નથી, ત્યારે બીજી બાજૂ ધારાસભ્યોના ખરીદ-વેચાણ વખતે એમની પાસે કરોડો રૂપિયા આવી જાય છે.

ગુજરાતમાં બદલાઈ શકે છે રાજકીય સમીકરણ

ચૂંટણી નજીક આવતા ભાજપની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. એક બાદ એક આંદોલનો ચાલી રહ્યા છે. અનેક પ્રદર્શનકારી સરકાર વિરૂદ્ધ આંદોલનો ચલાવી, ભાજપ સરકારની ચિંતામાં વધારી રહ્યા છે. ત્યારે ભાજપને આ વખતે સરકાર બનાવામાં મુશ્કેલી પડશે કે સફળ થશે તે પરિણામ જ બતાવશે. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.