જનતા તો દર વખતની જેમ મૂરખ જ સાબિત થશે. આ વખતે ઠગવા વાળાઓમાં ભારે સ્પર્ધા છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 23:48:27

દરેક ધર્મના માન-અપમાનનો ઠેકો ભારતીય જનતા પાર્ટીએ લઈ રાખ્યો છે?

અત્યાર સુધી માત્ર હિન્દુ અસ્મિતાની વાત કરતો ભારતીય જનતા પક્ષ હવે મુસ્લીમ હિતની પણ વાત કરવા નીકળે ત્યારે અચરજ અને સવાલ થાય એ સ્વાભાવિક છે, અત્યાર સુધી મુસલમાનને હિન્દુ અને દેશનો દુશ્મન ચિતરનાર ભારતીય જનતા પક્ષ મુસ્લીમ અસ્મિતા અને એમના ધર્મના અપમાન પર વાત કરે તો થાય કે શું હવે હિન્દુ વોટબેન્ક મેળવવામાં સંતૃપ્ત અવસ્થા આવી ગઈ છે કે જેના કારણે મુસ્લીમ વોટ માટે મુસ્લીમના ધર્મનું અપમાન થાય છે કહીને નીકળવું પડશે?

 

મલ્લિકાર્જુન ખરગે કહેવત બોલ્યા, ભાજપના નેતાએ કહ્યું મુસલમાનોનું અપમાન કર્યું.

આવું ભાજપના નેતા બોલે ત્યારે થાય કે દરેક ધર્મના ઠેકા અને એમના માન-અપમાનની ચિંતા ભારતીય જનતા પાર્ટીને જ શું કામ થાય છે? શહેજાદ પૂનાવાલા ભાજપના પ્રવક્તા છે, મલ્લિકાર્જુનને સવાલ કરાયો કે પ્રધાનમંત્રીનો ચહેરો કોણ હશે કૉંગ્રેસમાંથી તો એમણે એક કહેવત કહી કે ઈદ પર બચીશું તો મોહર્રમ ઉજવીશું, આ વાતને લઈને શહેજાદ પૂનાવાલા કૉંગ્રેસ પર તુટી પડ્યાં, દરેક વાત અને કહેવતમાંથી વાંધો કાઢવા જઈશું તો કોઈપણ રાજકીય પક્ષના કોઈ નેતા નથી બચી શકવાના, પણ મુદ્દા પર સવાલોના જવાબ આપવાથી ભાગતા નેતા ધર્મ આ શબ્દ દુર સંભળાય તો પણ સુંઘતા સુંઘતા પહોંચી જતા હોય છે

ધર્મનો મુદ્દો ઓછો હોય એમ હવે આમ આદમી પાર્ટી પાટીદાર કાર્ડ લઈને આવી

ધર્મના નામ પર તો લોકો એમપણ વહેંચાયેલા છે, હવે ગોપાલ ઈટાલીયાના નામે આમ આદમી પાર્ટી પણ પોતાને પાટીદાર હિતેચ્છું અને ભાજપને પાટીદાર વિરોધ બતાવવા નીકળેલી આપ ગોપાલ ઈટાલીયા પર લેવાતી દરેક એક્શનને પાટીદારોના અપમાન સાથે સાંકળી રહી છે, જો કે એ ભુલી જાય છે કે ભાજપે તો પાટીદાર હિતેચ્છું સાબિત થવા માટે છેલ્લી ઘડીએ મુખ્યમંત્રી બદલીને ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવ્યા છે.

કોઈક મોટું હિંદુ સાબિત થશે કોઈક મોટું પાટીદાર....જનતા ત્યાંની ત્યાં જ રહેશે એ નક્કી છે.

 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.