હાઈવોલ્ટેજ ડ્રામાનો આવ્યો અંત AAPના સુરત પૂર્વના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પરત ખેંચી


  • Published By :
  • Published Date : 2022-11-16 14:23:34

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને હવે થોડા દિવસ રહ્યા છે. જો કે આ પહેલા રાજકારણના વિવિધ રંગ જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીના સુરત પૂર્વ વિધાનસભા સીટના ઉમેદવાર કંચન જરીવાલા પરિવાર સહિત ગુમ થવાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી હતી. AAPએ પણ ભારતીય જનતા પાર્ટી પર તેમના ઉમેદવાર કંચન જરીવાલાના અપહરણનો આરોપ લગાવ્યો હતો. જો કે આજે જરીવાલા પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચવા પોલીસ સુરક્ષા વચ્ચે ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. આ સાથે AAPના હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે.


કંચન જરીવાલાએ ઉમેદવારી પાછી ખેંચી 


પોતાના પરિવાર સાથે  ગઈકાલ સવારથી ઘરેથી ગુમ થયેલા AAPના સુરત ઈસ્ટના ઉમેદવાર કંચન જરીવાલા આજે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થયા અને પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું છે. હવે આવી સ્થિતિમાં હવે ચૂંટણી પહેલા જરીવાલાની ઉમેદવારી પાછી ખેંચવાની ચર્ચાએ રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. કંચન ઝરીવાલા ફોર્મ પાછું ખેંચીને રડતા-રડતા નોડલ ઓફિસરની કચેરીથી બહાર નીકળ્યા હતા.


સંજયસિંહ અને ઈટાલિયાના ભાજપ પર આરોપ


કંચન ઝરીવાલએ તેમનુ ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું તે અંગે આપના નેતા સંજયસિંહે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે  ‘તેમના ઉમેદવાર કંચન ઝરીવાલને ગઈકાલે કેટલાક ભાજપના લોકો જબરજસ્તી ઉઠાવી ફોર્મ પાછું ખેંચાવવા ચૂંટણી અધિકારી સમક્ષ લઈ ગયા હતા. જોકે તેમણે ના પાડતા પોતાની સાથે ઉપાડીને લઈ ગયા હતા અને આજે તેમની પાસેથી ફોર્મ પરત ખેંચાવ્યું છે. તેમણે કેટલાક વીડિયો પણ બતાવ્યા જેમાં AAPના ઉમેદવાર સાથે કેટલાક શખ્સો છે. જેમાં દેખાતી એક વ્યક્તિ ભાજપ સાથે સંબંધ ધરાવતા રવિ સાથે હોવાનું બતાવે છે. આ રવિ નામની વ્યક્તિની તસવીર CM ભૂપેન્દ્ર પટેલ અને પૂર્ણેશ મોદી સાથેની તસવીર બતાવે છે.’સંજય સિંહે વધુમાં જણાવ્યું કે, હું આ મામલે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને અનુરોધ કરીશ કે તેઓ આ મામલે હસ્તક્ષેપ કરે અને કંચન ઝરીવાલને ચૂંટણી ફોર્મ પાછું ખેંચવાની પ્રક્રિયાથી રોકવામાં આવે. આ મામલે હું મુખ્ય ચૂંટણી અધિકારીને મળવા જઈશ અને તેમને રજૂઆત કરીશ.


આ ઘટના અંગે ગોપાલ ઈટાલિયાએ પણ કહ્યું કે, કંચનભાઈએ ગઈકાલે ફોર્મ ભર્યું ત્યારથી ભાજપના લોકો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા કે તેમનું ફોર્મ સ્વીકારાય નહીં. પરંતુ ફોર્મ સ્વીકારી લેવાતા તેમને ભાજપના લોકો પોતાની સાથે લઈ ગયા અને આખી રાત સુધી અમે તેમને શોધતા રહ્યા.ભાજપે તેમને ડરાવી-ધમકાવીને ફોર્મ પાછું ખેંચવા મજબૂર કર્યા છે. આજે તેઓ પોલીસની સુરક્ષામાં આવ્યા અને ફોર્મ પાછું ખેંચીને જતા રહ્યા. જો તેમણે સ્વેચ્છાએ ફોર્મ પાછું ખેંચવું હોય તો રડતા રડતા કેમ બહાર ગયા? અને પોલીસ સુરક્ષાની જરૂર કેમ પડે?



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.