હાઈવોલ્ટેજ ડ્રામાનો આવ્યો અંત AAPના સુરત પૂર્વના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પરત ખેંચી


  • Published By :
  • Published Date : 2022-11-16 14:23:34

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને હવે થોડા દિવસ રહ્યા છે. જો કે આ પહેલા રાજકારણના વિવિધ રંગ જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીના સુરત પૂર્વ વિધાનસભા સીટના ઉમેદવાર કંચન જરીવાલા પરિવાર સહિત ગુમ થવાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી હતી. AAPએ પણ ભારતીય જનતા પાર્ટી પર તેમના ઉમેદવાર કંચન જરીવાલાના અપહરણનો આરોપ લગાવ્યો હતો. જો કે આજે જરીવાલા પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચવા પોલીસ સુરક્ષા વચ્ચે ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. આ સાથે AAPના હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે.


કંચન જરીવાલાએ ઉમેદવારી પાછી ખેંચી 


પોતાના પરિવાર સાથે  ગઈકાલ સવારથી ઘરેથી ગુમ થયેલા AAPના સુરત ઈસ્ટના ઉમેદવાર કંચન જરીવાલા આજે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થયા અને પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું છે. હવે આવી સ્થિતિમાં હવે ચૂંટણી પહેલા જરીવાલાની ઉમેદવારી પાછી ખેંચવાની ચર્ચાએ રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. કંચન ઝરીવાલા ફોર્મ પાછું ખેંચીને રડતા-રડતા નોડલ ઓફિસરની કચેરીથી બહાર નીકળ્યા હતા.


સંજયસિંહ અને ઈટાલિયાના ભાજપ પર આરોપ


કંચન ઝરીવાલએ તેમનુ ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું તે અંગે આપના નેતા સંજયસિંહે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે  ‘તેમના ઉમેદવાર કંચન ઝરીવાલને ગઈકાલે કેટલાક ભાજપના લોકો જબરજસ્તી ઉઠાવી ફોર્મ પાછું ખેંચાવવા ચૂંટણી અધિકારી સમક્ષ લઈ ગયા હતા. જોકે તેમણે ના પાડતા પોતાની સાથે ઉપાડીને લઈ ગયા હતા અને આજે તેમની પાસેથી ફોર્મ પરત ખેંચાવ્યું છે. તેમણે કેટલાક વીડિયો પણ બતાવ્યા જેમાં AAPના ઉમેદવાર સાથે કેટલાક શખ્સો છે. જેમાં દેખાતી એક વ્યક્તિ ભાજપ સાથે સંબંધ ધરાવતા રવિ સાથે હોવાનું બતાવે છે. આ રવિ નામની વ્યક્તિની તસવીર CM ભૂપેન્દ્ર પટેલ અને પૂર્ણેશ મોદી સાથેની તસવીર બતાવે છે.’સંજય સિંહે વધુમાં જણાવ્યું કે, હું આ મામલે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને અનુરોધ કરીશ કે તેઓ આ મામલે હસ્તક્ષેપ કરે અને કંચન ઝરીવાલને ચૂંટણી ફોર્મ પાછું ખેંચવાની પ્રક્રિયાથી રોકવામાં આવે. આ મામલે હું મુખ્ય ચૂંટણી અધિકારીને મળવા જઈશ અને તેમને રજૂઆત કરીશ.


આ ઘટના અંગે ગોપાલ ઈટાલિયાએ પણ કહ્યું કે, કંચનભાઈએ ગઈકાલે ફોર્મ ભર્યું ત્યારથી ભાજપના લોકો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા કે તેમનું ફોર્મ સ્વીકારાય નહીં. પરંતુ ફોર્મ સ્વીકારી લેવાતા તેમને ભાજપના લોકો પોતાની સાથે લઈ ગયા અને આખી રાત સુધી અમે તેમને શોધતા રહ્યા.ભાજપે તેમને ડરાવી-ધમકાવીને ફોર્મ પાછું ખેંચવા મજબૂર કર્યા છે. આજે તેઓ પોલીસની સુરક્ષામાં આવ્યા અને ફોર્મ પાછું ખેંચીને જતા રહ્યા. જો તેમણે સ્વેચ્છાએ ફોર્મ પાછું ખેંચવું હોય તો રડતા રડતા કેમ બહાર ગયા? અને પોલીસ સુરક્ષાની જરૂર કેમ પડે?



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!