AAPનો ઝાંઝવતી પ્રચાર શરૂ ,કેજરીવાલ અને ભગવંત માન સહિતના નેતાઓ પાંચ દિવસ ગુજરાતમાં !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-20 16:19:51

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ હવે ઝંઝાવતી પ્રચાર શરૂ થયો છે. રાજકીય પક્ષોના નેતાઓ હવે ગુજરાતમાં રોડ શો અને જાહેરસભાઓ સંબોધી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આજથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રચાર માટે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, રાજ્યસભા સાંસદ સંજયસિંહ અને રાઘવ ચઢ્ઢા આજથી 25 નવેમ્બર સુધી અલગ અલગ જગ્યાએ જાહેરસભા અને રોડ શો યોજશે.


આજે અલગ અલગ જગ્યાએ રોડ શો 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 20, 21, 22 નવેમ્બર સુધી ગુજરાતમાં પ્રચાર કરશે. આજે 20 નવેમ્બરના રોજ હાલોલ ખાતે સાંજે 4 વાગ્યે રોડ શો કરશે. 21મી નવેમ્બરે સાંજે 5 વાગ્યે અમરેલી ખાતે રોડ શો કરશે. 22 નવેમ્બરે બપોરે 2 વાગ્યે ખંભાળિયા ખાતે જાહેર સભાને સંબોધશે અને સાંજે 5વાગ્યે સુરતમાં રોડ શોમાં ભાગ લેશે ત્યારબાદ રાત્રે 9 વાગ્યે સુરતમાં જાહેરસભાને સંબોધશે.


ભગવંત માન કેજરીવાલ કરતાં વધુ ગુજરાતમાં પ્રચાર કરશે !

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલથી 5 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 21, 22, 23, 24 ,25 નવેમ્બર સુધી તેઓ પ્રચાર કરશે. 21 નવેમ્બર સવારે 11 વાગ્યે ઉમરગામમાં રોડ શો કરશે. બપોરે 3 વાગ્યે કપરડા ખાતે રોડ શો કરશે. સાંજે 5 વાગ્યે ધરમપુરમાં રોડ શો કરશે અને સાંજે 6:00 વાગ્યે વાંસદામાં રોડ શો કરશે. 22 નવેમ્બરના રોજ બપોરે 1 વાગ્યે ડાંગમાં રોડ શો કરશે. સાંજે 4:30 વાગ્યે નવસારી રોડ, સાંજે 6 વાગ્યે ઉધના રોડ ખાતે રોડ શો કરશે. 23 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે નિઝર રોડ, બપોરે 1:00 વાગ્યે વ્યારામાં, બપોરે 3:00 વાગ્યે માંડવી રોડ, સાંજે 5 વાગ્યે ઝઘડિયા રોડ રોડ શો કરશે. 24 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે કરજણ રોડ, બપોરે 2 વાગ્યે નાંદોદ રોડ, બપોરે 3:30 સંખેડા રોડ, સાંજે 5:30 જેતપુર છોટા ઉદેપુરમાં રોડ શો કરશે. 25 નવેમ્બર સવારે 11 વાગ્યે માંગરોળ બારડોલીમાં, બપોરે 3 વાગ્યે બારડોલીમાં અને સાંજે 6 વાગ્યે ઓલપાડમાં રોડ શો કરશે.


રાઘવ ચઢ્ઢાએ પણ પ્રચાર કમાન હાથમાં લીધી 

રાજ્યસભા સાંસદ રાધવ ચઢ્ઢા પણ 21, 22, 23, 24 નવેમ્બરના રોજ 5 રોડ શો અને 3 જનસભાને સંબોધિત કરશે. 21 નવેમ્બરના રોજ સાંજે 4 વાગ્યે ધાંગધ્રામાં રોડ શો કરશે. રાત્રે 7 વાગ્યે ચોટીલામાં જનસભાને સંબોધિત કરશે. 22 નવેમ્બરના રોજ બપોરે 3 વાગ્યે કાંકરેજમાં જનસભાને સંબોધિત કરશે. રાત્રે 8 વાગ્યે પાટણમાં જનસભાને સંબોધિત કરશે. 23 નવેમ્બરના રોજ બપોરે 1 વાગ્યે મોડાસામાં રોડ શો કરશે. સાંજે 5 વાગ્યે પ્રાંતિજ રોડ શો કરશે. 24 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે બાલાસિનોરમાં, સાંજે 5 વાગ્યે ઠાસરામાં રોડ શો કરશે.






થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!