દિલ્હી MCDમાં BJP અને AAPના કાઉન્સિલરો ફરી બાખડ્યા, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-02-24 21:34:23

દિલ્હી  MCDમાં 15 વર્ષ બાદથી એકહથ્થું શાસન કરતા ભાજપે સત્તા ગુમાવ્યા બાદ ભાજપને આ પરાજય પચતો નથી. આમ આદમી પાર્ટીએ ભાજપના હાથમાંથી સત્તા આંચકી લેતા ભાજપ અને આપના કાઉન્સિલરો વચ્ચે સતત તંગદીલી સર્જાતી રહે છે. આજે ફરી બંને પાર્ટીના કાઉન્સિલરો બાખડી પડ્યા હતા.


BJP અને AAP કાઉન્સિલરો વચ્ચે ઝપાઝપી


દેશની રાજધાની MCD હાઉસમાં 36 કલાક પણ પસાર થયા ન હતા કે ફરી એકવાર તે જ દ્રશ્ય જોવા મળ્યું. MCDમાં સ્થાયી સમિતિની ચૂંટણી દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP)ના કાઉન્સિલરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. કાઉન્સિલરો ગૃહની અંદર એકબીજાને મારતા જોવા મળે છે. શુક્રવારના દિવસે કાઉન્સિલરો બુધવારે રાત્રે જે જોવા મળ્યા હતા તેના કરતા એક ડગલું આગળ વધી ગયા હતા. 


શા માટે કાઉન્સિલરો બાખડ્યા?



દિલ્હી MCDની સ્ટેન્ડિગ કમિટી માટે ચૂંટણી પંચના અધિકારીઓએ સ્થાયી સમિતિમાં બંને પક્ષોમાંથી ત્રણ-ત્રણ સભ્યોની પસંદગી કરી હતી, પરંતુ મેયર શૈલી ઓબેરોયે ભાજપના કાઉન્સિલરના વોટને અમાન્ય જાહેર કર્યા બાદ MCD હાઉસમાં હંગામો શરૂ થયો હતો. ભાજપનું કહેવું છે કે જ્યારે ચૂંટણી પંચના અધિકારીઓએ કહ્યું છે કે મત માન્ય છે અને ફરીથી મત ગણતરીની જરૂર નથી. તેમ છતાં મેયરે તે મતને અનવેલિડ જાહેર કર્યો હતો. ભાજપના કાઉન્સિલરોએ AAP પર ગુંડાગીરીનો આરોપ લગાવ્યો હતો. સાથે જ આમ આદમી પાર્ટી તરફથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમના કાઉન્સિલરો દ્વારા ગુંડાગીરી કરવામાં આવી રહી છે. AAPનું કહેવું છે કે મેયર પર પણ હુમલો કરવાનો પ્રયાસ થયો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.